SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુઓને માર્ગદર્શન : આત્માર્થ અમૃતપાન ૫૧૧ જગતમાં સત્પરમાત્માની ભક્તિ-સતગુરુ-સસંગ-સશાસ્ત્રાધ્યયન-સમ્યક્દષ્ટિપણું અને સત્યાગ એ કેઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તે આવી દશા હેત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષને બેધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્દગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટકયું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. x x ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતરસંશોધન કેઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. (અં. ૪૭). “પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિર્ગથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. ૪ ૪ ૪ શ્વાસને જય કરતાં છતાં સત્પરુષની આજ્ઞાથી પરામુખતા છે, તે તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જાય છે. તેનાં બે સાધન છે. સદ્ગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે; પર્યું પાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. (અં. ૬૨). “આત્મા વિનચી થઈ સરળ અને લધુત્વભાવ પામી સદૈવ પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાય કરી શકાય, અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તે સત્પષ (જેમાં સદ્દગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મેક્ષ હથેળીમાં છે, ઈષતાભા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશે.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.” (અં૫૫), - પરમ ભાવિતાત્મા શ્રીમદને મુમુક્ષુજનને ઉપદેશ સાચું મુમુક્ષુપણું–સાચું આત્માથપણું પ્રગટાવવા માટે છે,-કથનમાત્ર કે નામમાત્ર મુમુક્ષુપણું–આત્માર્થીપણું નહિં. જીવમાં જે ખરેખરૂં ભાવ-મુમુક્ષુપણું આવ્યું હોય તે તેનું સંસારબળ નિરંતર ઘટતુ જ જાય ને જીવ મોક્ષમાર્ગે આગળ વધતો જ જાય. વર્તમાનમાં સાચા મુમુક્ષુઓના પ્રાયઃ અદર્શનથી ખેદ વ્યક્ત કરતાં શ્રીમદ્દ એક મુમુક્ષુ ત્રિવનભાઈ પરના પત્રમાં (અં. ૪૫) લખે છે –“મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જે મુમુક્ષતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટયા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મળી પડયા કરે; અનુક્રમે નાશ પામવાયોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી દેવામાં આવતી નથી. કેઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જેઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અાદશા થવી ઘટે. વળી સત્સંગને કંઈ પ્રસંગ થયે છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદેષથી પલટતાં
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy