SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુઓને માર્ગદર્શન : આત્માર્થ અમૃતપાન ૫૦૯ થાય છે, જે પર ધ્યાન આપવું એગ્ય છે.” (નં. ૮૭૨). આ અખંડ નીતિમત્તા ઉપરાંત સપાત્રતા પામવા માટે મિત્રી આદિ ચાર અધ્યાત્મ ભાવના આત્મપરિણામી કરવા ગ્ય છે. એટલા માટે આ ચાર ભાવનાઓને શ્રીમદે મુમુક્ષુઓને સ્થળે સ્થળે બેધ કર્યો છે : “નિરંતર મંત્રી, પ્રમાદ, કરુણ અને ઉપેક્ષા ભાવના રાખશે. મિત્રી એટલે સર્વ જગતથી નિરિબુદ્ધિ, પ્રમાદ એટલે કે ઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવે, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.” (અં. પ૭, ૫૮, ૬૨, ૮૬). “સુખકી સહેલી છે અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા.” (અં. ૭૭). ઈ. તેમજ-સરલતા, વૈરાગ્ય, અંતરંગ જિજ્ઞાસા એ આદિ ગુણે પણ યોગ્યતા માટે આવશ્યક છે. આ અંગે શ્રીમદ્દ બોધે છે—“ચિત્તનું સરળપણું, વિરાગ્ય અને સત્ પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે, અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો સત્સંગ તે પ્રાપ્ત થો એ તે પરમ પરમ દુર્લભ છે. ૪ ૪ સતને વિષે પ્રીતિ, સરૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે.” (અ. ૨૩૮) ઈ. અને શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પંચ મુમુક્ષુલક્ષણ ગ્યતા માટે મુમુક્ષુને પરમ આવશ્યક છે, એટલે એ લક્ષણ પ્રાપ્ત કરવાનું શ્રીમદે સ્થળે સ્થળે મુમુક્ષુઓને માર્ગદર્શન કર્યું છે : “શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સદ્દગુણોથી યેગ્યતા મેળવવી, અને કઈ વેળા મહાત્માના ગે, તે ધર્મ મળી રહેશે.” (નં. ૩૮૦) આ શમાદિનું સ્પષ્ટ તલસ્પર્શી વિશદ સ્વરૂપ શ્રીમદ્ મહામુમુક્ષુ અંબાલાલભાઈ પરના પત્રમાં (સં. ૧૩૫) પ્રકાશે છે–સમ્મદશાનાં પાંચ લક્ષણો છે : શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા–અનુકંપ. ક્રોધાદિક કાનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે બ્રાતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણુ થઈ, અરે જીવ! હવે થોભ, એ નિર્વેદ. માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધાઆસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવા યંગ્ય છે, સ્મરવા ગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુસરવા ગ્ય છે.” તેમજ શ્રી વેદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યગદષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા ગ્ય છે; (તથારૂપ યોગ ન હોય તો વાંચવા ગ્ય છે;) વિશેષપણે મનન કરવા યંગ્ય છે, આત્મામાં પરિણમી કરવા યોગ્ય છે.” (અં. ૬૫૨). આ પંચ લક્ષણને અભ્યાસ કરવાની પ્રેરણું કરતાં શ્રીમદ્દ એક મુમુક્ષુ ખીમજીભાઈ પરના પત્રમાં (સં. ૧૪૩) આ કેલ્કીશું અમૃતવચને લખે છે – નીચેને અભ્યાસ તો રાખ્યા જ રહો : (૧) ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયને શમા, (૨) સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy