SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ અધ્યાત્મ રાજચંદ્ર સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાંસુધી ધ્યાનાદિક નહીં જેવાંકામનાં છે. માટે એમાંથી જે જે સાધને થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અથે છે, અને એ લક્ષવિના જીવને સમ્યત્વસિદ્ધિ થતી નથી. વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્ર પ્રતિપાદિત થયાં છે. અંક ૨૯૯). કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માથે બધી અસંગપણવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપરનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. અત્ર તો લોકસંજ્ઞાઓ, ઓઘસંજ્ઞાઓ, માનાથે, પૂજાથે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પોતાપણથે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માથે કઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, ૪૪ અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં. ૪ x પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત ૨ખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે.” (અં. ૪૩૦). આમ એક આત્માના લક્ષે જ-એકાંત આત્માથે જ સર્વ સાધન સેવવાનો ઉત્તમોત્તમ ઉપદેશ શ્રીમદે પ્રકાશે છે. પણ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન એ શ્રીમદ્દના અમર સુભાષિત પ્રમાણે આત્મજ્ઞાન પામવા માટે અને રહેવા માટે સત પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. એટલે જ પ્રાયઃ સર્વ મુમુક્ષુઓને સર્વથી પ્રથમ ઉપદેશ શ્રીમદે પાત્રતા–રોગ્યતા પ્રાપ્ત કરવાને આપ્યો છે, યથાયોગ્ય યોગ્યતા વિના માર્ગ મળે નહિં ને તેનું યથાર્થ પરિણમન થાય નહિં એટલા માટે શ્રીમદે મુમુક્ષુઓ પરના પત્રોમાં સર્વત્ર આ ગ્યતાપ્રાપ્તિ પર ખાસ ભાર મૂક્યો છે, અને તે માટે સર્વથી પ્રથમ કડક નીતિમત્તા અંગે શ્રીમદે ઓર વિશેષ ભાર આપે છે— જે મુમુક્ષુ જીવ ગૃહસ્થવ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળ૫ણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગવૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાસ્ય અને રહસ્ય સમજાય છે, અને સર્વવૃત્તિઓ નિજ પણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. (અં.૪૯૬). ગૃહવાસને જેને ઉદય વતે છે, તે જે કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તે તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું છે. જે અમુક નિયમમાં ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર તે પહેલે નિયમ સાથે કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણું આત્મગુણે પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તે કષાયાદિ વભાવથી મંદ પડવા ચાગ્ય થાય છે, અથવા જ્ઞાનને માર્ગ આત્મપરિણામ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy