SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુઓને માર્ગ દર્શન : આત્મા અમૃતપાન ૫૦૭ સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કેાઈ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતા હાય, સવ થા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હાય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજે કાઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરના, કુળધમ ના, લેાકસ જ્ઞારૂપ ધમ ના, એઘસ નારૂપ ધર્મ'ના ઉદ્યાસભાવ ભજી એક આત્મવિચાર કત્ત વ્યરૂપ ધમ લજવા ચેાગ્ય છે. (અ. ૩૭૫).’ ઇત્યાદિ પ્રકારે જ્યાં આત્મા અને આત્મા-આત્મા એ જ અથ–પ્રયાજનભૂત વસ્તુ વા પ્રયાજન છે, એવા નિલ આત્મદશી આત્મસ્પર્શી ઉપદેશ પરમ આત્મા શ્રીમદે આત્માર્થી મુમુક્ષુઓને સત્ર આપ્યા છે. આ આત્મજ્ઞાનરૂપ કેન્દ્રસ્થ વસ્તુ પર મુમુક્ષુનું લક્ષ કેન્દ્રિત કરવાનું પ્રત્યેાજન એ છે કે આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે જ જીવનું અનંત પરિભ્રમણ થયું છે, એટલે આ મૂળગત કેન્દ્રસ્થ ભૂલ જો ટળે તેા બીજી ખધી ભુલ ટળી પરિભ્રમણદુઃખ ટળે. એટલે જ અનંતકાળની આ પરિભ્રમણનિવૃત્તિ કેમ થાય? એ મૂલભૂત પ્રશ્ન અંગે મુમુક્ષુને વિચારની પ્રેરણા શ્રીમદ્દે સ્થળે સ્થળે કરી છે: ‘અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ? આ વાકચમાં અનેક અથ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દૃઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકા દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષાનું વચનામૃત વારવાર વિચારી લેશેા.' (અ. ૮૬). ×× જીવની ભૂલ જોતાં તા અનંત વિશેષ લાગે છે; પણ સ ભૂલની ખીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલને વિચાર કર્યોથી સર્વે ભૂલના વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે.’(અ. ૫૦૦). મૂળ આ આત્મવસ્તુને ભૂલી જીવ દશ્ય એવી પરવસ્તુમાં આત્મબ્રાંતિરૂપ દર્શનમેાહ પામી-ભૂલાવા ખાઈ પરવસ્તુના પ્રવાહમાં તણાતા સંસારપ્રવાહમાં વહ્યા કરે છે. આ અંગે મ`સ્પી વચન શ્રીમદ્ લખે છે.દેખતભૂલી ટળે તેા સર્વ દુઃખના ક્ષય થાય એવા સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવાને આ જગને વિષે કાઇ એવા આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ? (અ. ૬૪૧), સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા કાંથી પ્રાપ્ત થાય ? આવા અમૂલ્ય મનુષ્યપણાના એક સમય પણ પરવૃત્તિએ જવા દેવાયાગ્ય નથી, અને કઇ પણ તેમ થયા કરે છે તેના ઉપાય કઇં વિશેષે કરી ગવેષવાયેાગ્ય છે.’(અં. ૬૪૨). અને એટલે જ પરવૃત્તિથી પાછા વળી સ સાધન એક આત્મલક્ષે જ એકાંત આત્માથે જ સેવવા ચાગ્ય છે એવા શુદ્ધ ઉપદેશ શ્રીમદ્દે ડિંડિમ નાદથી ઉદ્યાષ્યા છે : ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગત્ની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું, અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવન પેાતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવુ' માન્ય છે તે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy