SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ પણ? અધ્યાત્મ રાજપ યમ નિયમ સંયમ આપ કિ, પુનિ ત્યાગ વિરાગ અથાગ લિયે; વનવાસ લિયે મુખ મૌન રિ, દઢ આસન પ લગાય દિયે. મન-પન નિધિ સ્વધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ; જપભેદ જપ તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસિ લહી સબપે. સબ શાસનકે નય ધારિ હિયે, મતમંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછ હાથ હજુ ન પર્યો. અબ કર્યો ને બિચારતા હે મનસેં? કછુ એર રહા ઉન સાધનસેં; બિન સદ્દગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે ? કરુને હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. તનસેં, મનસું, ધનસું, સબસે, ગુરુદેવકિ આન સ્વઆત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમઘને. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરંગુલ હે દ્રગસેં મિલ હે; રસદેવ નિરંજનકે પિવહી, ગહિ જોગ જુગ જુગ સો- જિવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઊર બસે; વહ કેવલને બિજ ગ્લાનિ કહે, નિજક અનુભી બતલાઈ દિયે.” આ અષ્ટ ત્રાટક છંદમાં જાણે અષ્ટાંગ યોગને સારા સમાવતી હોય એવી ચગીન્દ્ર રાજચંદ્રની આ અમૃતવાણી ઉદ્ઘોષે છે કે–શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિરૂપ આત્મજ્ઞાન– ભાવશ્રુતજ્ઞાન જેને પ્રગયું છે, એવા આત્મજ્ઞાની–ભાવશ્રુતજ્ઞાની સદ્દગુરુથકી પ્રાપ્ત ભાવગુરુગમથી શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિરૂપ આત્મજ્ઞાન-ભાવશ્રુતજ્ઞાન પ્રગટે છે. દીપકની ઉપાસનાથી વાટ જેમ દીપક બને, દીપકમાંથી દીપક પ્રગટે–દીવામાંથી દીવ ચેતે, તેમ જાગતી જ્યોત જેવા ભાવયોગી ભાવાચાર્ય આત્મજ્ઞાની સદ્ગુરુથકી આત્માને અમૃતાનુભવરૂપ ભાવદી પ્રગટે આ જ ગુરુગમનું રહસ્ય છે. આમ સત્યસુધાદર્શનરૂપ ગુરુગમથકી અમૃતાનુભવપ્રાપ્તિની આ ગિગમ ગૂઢ વાત યોગીભદ્ર રાજચંદ્ર આ અમૃત યોગીન્દ્રગર્જનામાં અત્ર કંઈ સ્પષ્ટ શબ્દોમાં પ્રકાશીઃ તે જ ગુરુગમથી પ્રાપ્ત થવાયેગ્ય અમૃતપ્રાપ્તિની વાતને પડ પાડતા આનંદઘનજી એક પદમાં ગૂઢાર્થમાં કહે છે– ગગનમંડળમેં અધબિચ કૂવા, ઉંહા હે અમીકા વાસા: સગરા હૈએ સો ભર ભર પીવે, નગુરા જાવે પ્યાસા... અવધ સે જોગી ગુરુ મેરા, ઉસ પદકા કરે રે નિવેડા.” અર્થાત્ ગગનમંડલ એટલે ચિદાકાશ. તેની મધ્યે એક અમૃતને કૂવે છે, એટલે અમૃતસ્વરૂપી શાંત સુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે, તે જ તે અમૃતકૃપમાંથી શાંત સુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે–ભવતૃષ્ણા શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્દગુરુને યોગ નથી મન્ય, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy