SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ અને સત્ની પ્રાપ્તિના માર્ગ સજીવનમૂત્તિ સદ્ગુરુ ૧૩ ચાંગ વિના તા સ સાધન આત્મા માધક થઈ ધનરૂપ બને છે; આ સદ્ગુરુજ્યેાગ વિના અનંત કાળથી અનંત સાધન પણ જીવને નિષ્ફળ નીવડયા છે. આ અંગે પરમ કરુણામૂત્તિ શ્રીમદ્,—સવ" કાઈને ઊડા ગભીર વિચાર કરતા કરી મૂકે એવા, ચમ નિયમ સયમ આપ ક્રિયા’ એ પ ંક્તિથી શરૂ થતા પરમ અમર કાવ્યમાં,—જાણે સાક્ષાત્ જોગીદ્ર ગર્જના કરતા હેાય એવા પ્રગટ ભાસ આપતા આ પરમ વેધક વચના ઉદ્યાષે છે—તમે યમ-નિયમ-સંયમ કર્યાં, વળી અથાગ ત્યાગવૈરાગ્ય લહ્યા, વનવાસ લીધા, મુખે મૌન રહ્યા, દૃઢ પદ્માસન લગાવી દીધુ, મનનનરાધપવનનિરોધ-સ્વધ કર્યાં, હઠયાગના સારી પેઠે પ્રયાગ કર્યાં, અનેક પ્રકારના જપના ભેદ જમ્યા, તેમજ તપ તપ્યા, અંતઃકરણથી સવથી ઉદાસીનતા લહી, સ` શાસ્ત્રોના નય હૃદયમાં ધારણ કર્યાં, મતમંડન-ખંડનના ભેદ લહ્યા,—એ સાધન તમે અનતવાર કર્યાં,—વહુ સાધન ભાર્ અનત કિયા’, તે પણ હાથમાં હજી કાંઈ ન પડયું,— તદપિ ક્લુ હાથ હજી ન પÜ', તે હવે મનથી કેમ વિચારતા નથી કે એ સાધનથી કંઈક એર બાકી રહ્યું છે. સદ્ગુરુ વિના આ વાતના કેઈ ભેદ ન પામે, આ મુખ આગળ છે, શી વાત કહીએ? આ સર્વ સાધન સ્વરૂપે સાચા છતાં તમને નિષ્ફળ જાય છે તેથી અમને તમારી કરુણા આવે છે—કના હમ પાવત હે તુમકી’; એટલે કહીએ છીએ કે તે વાત સુગુરુગમની–સદ્ગુરુગમની રહી છે,—વહ ખાત રહી સુગુરુ ગમકી'; જ્યારે સદ્ગુરુચરણે સુપ્રેમ વસે ત્યારે એક પળમાં મુખ આગળથી તે પ્રગટે. અને તે પણ કચારે પ્રગટે ?—તનથી, મનથી, ધનથી, સ`થી ગુરુદેવની આજ્ઞા જ્યારે સ્વઆત્મામાં વસે, ત્યારે પેાતાનુ’–આત્માનું કાર્ય સિદ્ધ બને, પ્રેમઘન એવું રસઅમૃત પામે,-સ પ્રદેશે પ્રેમ પ્રેમ ને પ્રેમ એવા પરમ પ્રેમરસમય એકરસભાવરૂપ અમૃતરસ પામે. અને તે કેવી રીતે?—તે સદ્ગુરુ સત્યસુધા દર્શાવશે,—જે દૃષ્ટિથી મળીને ચાર આંગળ રહેલ છે,—અને દૃષ્ટિથી ચાર આંગળ દૂરનું વચ્ચે જયાં મિલનસ્થાન છે ત્યાં આવી રહેલ સત્યસુધાનું સદ્ગુરુ દન કરાવશે; એટલે રસદેવ નિરંજનને પીએ, તે જોગ ગ્રહી ભ્રુગેાજીંગ જીવે, અમૃત થાય; ‘રસદેવ’—શુદ્ધ ચૈતન્યરસાધિરાજ શાંતસુધારસમય રસમૂર્તિ શુદ્ધ નિરજન આત્માનું અમૃતપાન કરે, તે સ્વરૂપાનુસ ́ધાનરૂપ ‘જોગ' ગ્રહણ કરી, જુગેાજુગ જીવે’-શાશ્વત સિદ્ધદશારૂપ અમૃતપણાને પામે. પ્રેમ સદ્ગુરુપ્રસાદથકી સત્યસુધાનું દર્શીન થતાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ ‘રસદેવ નિરજન' શુદ્ધ આત્માના અમૃતાનુભવ થાય, એટલે તેની પ્રાપ્તિ જે થકી થઈ તે ‘પ્રભુ’–સદ્ગુરુ ભગવાન પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ વધે, સર્વ આગમભેદ સ્વઅંતમાં વસે. આ શુદ્ધ ચેતનરસમય શુદ્ધ નિરજન આત્મદેવની અમૃતાનુભૂતિ કરાવનારા આ સુધારસરૂપ બીજજ્ઞાનને કેવલજ્ઞાનનું ખીજ જ્ઞાની કહે છે, અને તે નિજને-આત્માના અનુભવ બતાવી ક્રીએ છે-આ ગુરુગમથકી પ્રાપ્ત આ સત્યસુધારસના જ્ઞાન થકી કેવલ એક શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિ થાય છે. આત્માની અમૃતાનુભૂતિના ગુરુગમથી પ્રાપ્ત થતા આ સુગમ ઉપાય છે. એમ અમૃતપ્રાપ્તિની આ અમૃતવાણી ઉદ્ઘાષતી ચેાગીન્દ્ર રાજચન્દ્રની જોગીંડ્રગના આ રહી—
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy