SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ અધ્યાત્મ રાજચંદ્ર ને પરમતના ખંડનમાં પાવરધો બની “દિવિજય કરવા નીકળી પડ્યો હશે ! અરે ! પોતાનું કાંઈ પણ ઠેકાણું નહિં છતાં, ઊંચા વ્યાસપીઠ પરથી મોક્ષ સુધીના મોટા મોટા વ્યાખ્યાને આપી, સાક્ષાત્ વાચસ્પતિના જેવી વક્તાબાજી કરી, વ્યાખ્યાનધરા ધ્રુજાવીને સભાઓ ગજાવી હશે! આટલું બધું એ બિચારાએ અનંતવાર કર્યું હશે ! પણ તેના હાથમાં હજુ કાંઈ આવ્યું નહિં! તેના હાથ તો જેવા હતા તેવા ખાલી ને ખાલી ! મોક્ષ તો હતો તેટલે જ દૂર પડ્યો છે! કારણકે એક મૂળભૂત કારણ જે કરવાનું સૌથી પ્રથમ અગત્યનું હતું, તેને તેને ચોગ ન બન્ય,–સતસ્વરૂપને પામેલા સાચા સદ્દગુરુને તેને યોગ ન મળે, એટલી એક ખામી રહી ગઈ! એટલે એના એ બધાં સાધન સ્વરૂપે સાચા છતાં, તેને તો બંધનરૂપ બની એળે ગયા, શૂન્યમાં પરિણમ્યા ! હજારે કે લાખો વિજળીની બત્તી ગોઠવી હોય, પણ એક “મેઈન સ્વીચ” (Main Switch, મુખ્ય ચાવી) ચાલુ ન હોય, તે બત્તી પ્રગટે નહિં, અંધારું જ રહે તેમ અનંત સાધને કરે, પણ પ્રગટ સતસ્વરૂપને પામેલા સદ્દગુરુને યોગ ન હોય, તે જ્ઞાનદી પ્રગટે નહિં, અંધારૂં જ રહે. આમ છે એટલે જ અનંતકાળનું પરિભ્રમણ દુઃખ શી રીતે ટળે? અને સાચે માર્ગ જીવને શી રીતે મળે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વિચાર પર મુમુક્ષુનું લક્ષ કેન્દ્રિત કરાવતા શ્રીમદ્ મુમુક્ષુઓને અપૂર્વ વિચારપ્રેરણા કરે છે—માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલપિ મુકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કર અવશ્ય છે. અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય?–આ વાક્યમાં અનંત અર્થ સમાયલે છે અને એ વાક્યમાં કહેલી ચિંતન કર્યા વિના, તેને માટે દઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી, અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તે એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યારપછી બીજુ જાણવું શું? તે જણાય છે.” (અં. ૧૯૫). અનંતકાળથી જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? આ મૂળભૂત પ્રશ્નનો ઉત્તર આપતાં સમૂર્તિ શ્રીમદ્દ અપૂર્વ માર્ગ પ્રાપ્તિનો આ આત્માનુભવસિદ્ધ પરમ ઉપાય આ પરમ અમૃતપત્રમાં (અં. ૧૯૪) પ્રકાશે છે “ અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિને યોગ મેળવો દુર્લભ છે, ૪૪ ભાવઅપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્ઝતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યા છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્ય છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કંઈ પણ પ્રાણી છૂટવા ઇરછે છે તેણે અખંડવૃત્તિથી એ જ માગને આરાધવે. એ માગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટાળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરે; દર મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિ:શંક છે, અનાદિ કાળથી જીવ અવળે ભાગે થાય છે, જો કે તેણે જપ, તપ,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy