SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ સત અને સતની પ્રાપ્તિનો માર્ગ સજીવનમૂર્તિ સદ્દગુરુ. ૫૦ શાસાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કહ્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગ સૂત્રમાં ગષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણુ પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગ ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે: હે આયુષ્યને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિએનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે:-ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે. માળા, ધમો બાપ ત આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ, (આચારાંગ સૂત્ર). આમ માર્ગ શાથી મળે? એને પોતાની અનુભવસાક્ષીથી ઉત્તર આપતાં શ્રીમદે સાક્ષાત સ્વરૂપને પામેલા પ્રત્યક્ષ સદ્દગુરુથી માર્ગ મળે એ વસ્તુ અત્ર સર્વ શાસ્ત્રની સાક્ષી આપી ડિડિમનાદથી ઉદ્ઘોષી છે. સજીવનમૂત્તિથી માર્ગ મળે એ વસ્તની અન્યત્ર પણ સાક્ષાત્ સ્વરૂપ શ્રીમદ્ તેવી જ ઉદ્દઘાષણ કરતાં પોતાનું હૃદય દર્શાવે છે—કેઈપણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરી અને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયેજ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સને માર્ગ મળે છે, સત પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈપણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. (અં. (૧૯૮) અનંત કાળ સુધી જીવ નિજ ઈદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” (અં. ૨૦૦). આ સજીવન મૂતિને વેગ પણ પૂર્વે અનેકવાર થઈ ગયો છે છતાં જીવને માર્ગ નથી મળ્યો તેનું કારણ તે પુરુષ સદ્દગુરુનું તથારૂપ સ્વરૂપઓળખાણ નથી કર્યું એ છે, તે ગ વંચક થઈ પડ્યો એ છે, એની સ્પષ્ટતા કરતાં શ્રીમદ્દ પત્રાંક ૨૧૨ માં પ્રકાશે છે—જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિને પૂર્વકાળમાં જીવને જેગ ઘણીવાર થઈ ગયા છે, પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કવચિત્ કર્યું પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયેગાદિ, રિદ્ધિયેગાદિ અને બીજી તેવી કામનાઓથી પિતાની દષ્ટિ મલિન હતી; દષ્ટિ જે મલિન હોય તે તેવી સતસૂતિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી, અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કેઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એ કે તે મૂર્તિના વિયેગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે, બીજા પદાર્થોના સંચાગ અને મૃત્યુ એ બને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું છે,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy