SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પંચોતેરમું સત અને સન્ની પ્રાપ્તિનો માર્ગ સજીવનમૂર્તિ ગુરુ ‘બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત.”–શ્રીમદ્ રાજચંદ્ર સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર કરનારા શ્રીમદ્દ સથી અભેદ સાક્ષાત્ સસ્વરૂપ બન્યા છે, એટલે સાક્ષાત્ સ્વરૂપ શ્રીમદ્દ જેવા પ્રાપ્ત પુરુષ સની બા.માં પરમ આત છે, અને સત્ની પ્રાપ્તિ સંબંધમાં તેમણે જે અનુભવસિદ્ધ પ્રકાશ નાંખે છે તે પરમ અપૂર્વ અને પરમ રહસ્યભૂત હોઈ સર્વ સજિજ્ઞાસુઓને પરમ ઉપકારી માર્ગદર્શક થઈ પડે એવો છે. સની પ્રાપ્તિ જગત્માં સર્વ કઈ ઈચ્છે છે, પણ સત્ની પ્રાપ્તિને સત્ ઉપાય નહિં પ્રાપ્ત થવાથી જીવનું અનાદિકાળનું પરિભ્રમણદુઃખ મયું નથી અને મટતું નથી. તે મટવા માટે જગને-મુમુક્ષુ જગતને આ સત્ અને સની પ્રાપ્તિને પરમ ઉપાયરૂપ માર્ગ શ્રીમદે શું દર્શાવ્યો છે, એ અંગે આ પ્રકરણમાં વિવરણ કરશું. સત્ શબ્દના ત્રણ અર્થ છે : (૧) સત્ એટલે વસ્તુનું હોવું અસ્તિત્વ (૨) તે જ જેમ છે તેમ હોવાથી સત્ એટલે સાચું; (૩) અને તે જ ગ્રહણ કરવા યંગ્ય હેવાથી સત્ એટલે સારૂં. અર્થાત્ વસ્તુગતે વસ્તુરૂપે જે સ્વરૂપનું હોવાપણું તે સત્ છે, તે સાચું છે અને તે જ સારું છે, –સના આ ત્રણે અર્થ એકબીજાના પૂરક અને સમર્થક છે. સતરૂપ આ મહાસત્તામાં સર્વ સમાય છે. સર્વત્ર અભેદદશી સજૂત્તિ શ્રીમદ્દનું સત્ વચન છે કે “સત્ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે; અને તે પ્રાપ્તિને ઉપાય છે. ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓને લક્ષ એક સત્ જ છે. વાણીથી અકય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી. (અ. ૨૧૮). આખું સૌને તે અક્ષર ધામ રે. ૪૪ એમ તે સમજાય છે કે ભેદને ભેદ જે વાસ્તવિક સમજાય છે. પરમ અભેદ એવું સત સર્વત્ર છે. (અં. ર૩૯) મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સને જ પ્રકાર્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે પરમ સતની જ અમે અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ.” (સં. ૨૦૯). આ સને ગમે તે નામે ઓળખવામાં આવતું હોય, એમાં શબ્દભેદ છતાં અર્થભેદ નથી, એના પર્યાયનામે છતાં સત્ તે સત્ જ છે, એમ શ્રીમદ ઉદ્ઘેષણ કરે છે– તે પરમસતને પરમજ્ઞાન કહે, ગમે તે પરમપ્રેમ કહે, અને ગમે તે સચિતઅ-૬૩
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy