________________
અધ્યાત્મ રાજચંદ્ર સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે. તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે.” ઈ. અને કેવળ અસંગ ઉપગે અથવા ઉપરોક્ત પરમ પુરુષની દશાના પ્રબળ અવલંબને આત્મસ્થિતિ કરવાનું રોમાંચિત કરે એવું પરમ ભાવવાહી પુનઃ ઉદ્દબોધન કરે છે–વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપગે અથવા પરમ પુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમકે બીજે કઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કઈ સાચા અંતઃકરણે સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા ગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલપ રાખવા ગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તે પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. અને આ પરમ અમૃતપત્રના અંતે પરમ વીતરાગ શુદ્ધચતન્યમૂત્તિ શ્રીમદ, વીતરાગદશા અને શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મદશા ઉપદેશતા આ પરમ સુવર્ણ કળશરૂપ પરમ નિશ્ચયસ્વરૂપ કેવળ નિઃસંદેહ પરમ અમૃત વચને ઉદ્બોધે છે–
- સર્વ જીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ શાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્મદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સચ્ચઠ્યારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણનું ફળ સર્વદુ:ખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિ:સંદેહ છે.”
આવી શુદ્ધચૈતન્યસ્વરૂપ અસંગ આત્મામાં સમાતી અદ્દભુત રત્નત્રયીનો ઉદ્બોધ કરનારી સૌભાગ્યને અંતિમ આરાધના કરાવતી આવી અદ્દભુત છે શ્રીમદ્દની આ પરમઅમૃત પત્રનત્રચી!
૩. સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ શ્રીમદૂની આ અમૃત પત્રરત્નત્રયીની સમયસારાદિ શાસ્ત્રરહસ્યના જાણુપરમાર્થપ્રેમી સૌભાગ્યના આત્મા પર અજબ ચમત્કારિક અસર થઈ, તેનું સૂચન સૌભાગ્યે જેઠ વદ ૩ ના દિને શ્રીમદ્દ પર લખેલા આ પત્રમાં જોવા મળે છે–આપને કૃપાપાત્ર સેવકની સંભાળ લેવા આવ્યા. તે પહોંચે છે. આપ સાહેબે આત્મા વિષે લખ્યું તે આપની કૃપાથી ઘણું કરી મારા ધારવા પ્રમાણે તેમજ વતે છે, અને મારા આત્માને તેમજ ભાસે છે. આપની કૃપાથી મેહ હવે કાંઈ નથી. અને એક આપને જ આધાર છે. સહજાન્મસ્વરૂપસ્વામીનું જ સ્મરણ દી ને રાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારે તે ખરૂં. હું પામર અજાણ છું. કાંઈ જાણતા નથી. અને શ્રીમદ્દની આ સમયસારાદિ સર્વ શાસ્ત્રોના પરમ નીચોડરૂપ પરમ ચમત્કારિક અમૃત પત્ર-રત્નત્રયીની સૌભાગ્યના દિવ્ય આત્મા પર શી જાદુઈ અસર થઈ, તે ૧૫૩ ના જેઠ વદ ૬ ના દિને લખેલે સૌભાગ્યનું હદય ખેલતે આ સૌભાગ્યને છેલ્લે પત્ર જ બેલે છે–
આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ ૯ બુધવારે મતક છે, એ આગળ ભાસ થયેલ. તે સુદ ૯ નું બન્યું નહિં. છતાં તે તારીખ ગઈ. તે જેઠ વદ ૯