SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૯ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિતમાત્ર છેષ ન રહે, સર્વત્ર સમદશા વતે એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે. દીર્ધકાળના પરમાર્થ સત્સંગી પરમાર્થના અખંડનિશ્ચથી પરમાથસખા હૃદયરૂમ શ્રી ભાગની જાણે અંતિમ વિદાય લેતા હોય એમ આ પરમ ભાવવાહી રોમાંચક શબ્દોમાં સૌભાગ્યની અંતિમ ક્ષમાપના યાચી શ્રીમદે, સૌભયને દેહાદિનું અહંત્વમમત્વ ગુંડાવી, રાગ-દ્વેષપણું છોડાવી, અસંગપણું–નિર્મોહપણું–સમરસપણે જોડાવી, આત્માની અમૃતાનુભૂતિમાં નિમજજન' કરાવનારી કેવી અનુપમ અંતિમ આરાધના અત્ર અમૃતપત્રથી કરાવી છે! ખરેખર! બિન્દુમાં સિધુ સમાવ્યો હોય એવી આ અમૃતપત્ર-રત્નત્રયીમાં અંતિમ આરાધના કરાવતું જે જીવતું જાગતું જવલંત ચિત્ર અમૃતાનુભવસિંધુ શ્રીમદે આલેખ્યું છે, તેની જોડી પ્રાયે સમસ્ત વામયમાં પણ ગોત્યે જડવી દુર્લભ છે! અને આ અમૃત પત્ર-રત્નત્રયીના ત્રીજા પત્રમાં–૧૫૩ના જેઠ વદ ૬ના દિને લખેલા સૌભાગ્ય પરના છેલ્લામાં છેલ્લા પત્રમાં તે પરમ અમૃતાનુભૂતિનિમગ્ન પરમ પુરુષ શ્રીમદ્દ, ઉપરોક્ત સમસ્ત વસ્તુ પર કળશ ચઢાવતા હોય એમ, પત્રપ્રારંભે પરમપુરુષની પરમ અદ્દભુત આત્મદશાનું આત્મસ્પર્શી વર્ણન કરતું બનારસીદાસજીનું આ સમયસાર કવિત મૂકે છે– કચસી કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જગ જાતિ, કરસી કરામતિ, હહરસી હીંસ પુદગલછબિ છારસી; જાલસૌ જગવિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસ જાનૈ, બીઠસૌ બખત માન, ઐસી જાકી રીતિ તાહી, બંદી બનારસી.” અને તેને અર્થ પણ અત્ર શ્રીમદ્દ શ્રીમુખે પ્રકાશે છે—જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચ૫૮ સરખી જાણે છે, કેઈથી નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હૉસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લેકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે, અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. આમ પરમ પુરુષની અદ્ભુત દશાને અદ્દભુત બોધ પ્રકાશી શ્રીમદ્દ સૌભાગ્યને સર્વથા નિવિક૯૫૫ણું અને અસંગપણું જ રાખવાનો મહાન અંતિમ બધ કરે છે–ઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ અ-૬૨
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy