________________
સોભાગ્યનું અપૂર્વ સમાધિમરણ
૪૮૭ કરનારા શ્રીમદ શુદ્ધ આત્માનો અનુભવઉત્સાહ પ્રેરતી દશા વર્ણવતું બીજું સમયસાર કાવ્ય ટાંકે છે–
જૈસો નિરભેદરૂપ નિહર્ચ અતીત હતો, તૈસી નિરભેદ અબ, ભેદકી ન ગહેંગે; દીસૈ કમરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજથાન ફિર બાહરિ ન બહેગે; કબહું કદાપિ અપને સુભાવ ત્યાગ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગહેગ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભય,
યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ.” જેવો નિશ્ચયથી નિર્ભેદ-અભેદરૂપ આત્મા અતીતકાળે હતો, તે નિર્ભેદ-અભેદ હમણું છે, તે હવે ભેદને બહશે નહિં; આ આત્મા કમરહિત અને સુખસમાધાનસુખસમાધિ સહિત દીસે છે–પ્રગટ દેખાય છે, નિજસ્થાન પામ્યો છે, તે હવે ફરી આત્માથી બહારમાં વહશે નહિ; ક્યાંય પણ કદાપિ પોતાને–આત્માને સ્વભાવ ત્યાગી, રાગરસમાં રાચીને આ આત્મા પરવસ્તુ ગ્રહશે નહિં, અમ્લાન જ્ઞાનસ્વરૂપ આ આત્મા વિદ્યમાનવર્તમાનમાં પ્રગટ-અનુભવપ્રત્યક્ષ થયો છે, તે જ પ્રકારે આગામી–ભાવી અનંતકાળ રહેશે.
આમ અનુભવઉત્સાહ દશામાં સૌભાગ્યને ઉત્સાહિત કરી, સ્થિતપ્રજ્ઞ દશાને પામેલા–શુદ્ધ આત્માનુભવદશામાં સુસ્થિત થયેલા શ્રીમદ્દ દ્રવ્યને શુદ્ધ સ્વભાવ ઉદ્ઘોષતી આત્મામાં સુસ્થિતિરૂપ સ્થિતિદશા પ્રકાશનું ત્રીજું સમયસાર કાવ્ય અન્ન અવતારે છે–
“એક પરિનામકે ન કરતા દરબ દેઈ, દેઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દેઈ દર્વ કબહું ન કરે, દેઈ કરતિ એક દર્વ ન કરતુ હિ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દઉં, અપને અપને રૂપ, કઉ ન કરતુ હૈ જડ પરિનામનિકો કરતા હૈ પુદગલ,
ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ છે.” એક પરિણામના બે દ્રવ્ય કર્તા હેય નહિં, બે પરિણામ એક દ્રવ્ય ધારે નહિ બે દ્રવ્ય મળી ક્યારેય એક કરતુત-ક્રિયા કરે નહિં, એક દ્રવ્ય બે કરતુત-ક્રિયા કરે નહિ; જીવ અને પુદ્ગલ બંને એકક્ષેત્રઅવગાહી છે, પણ તે બંનેમાંથી કઈ તિપિતાનું રૂપ છેડે નહિ; જડ પરિણામને કર્તા પુદ્ગલ છે. ચિદાનંદ આત્મા ચેતન સ્વભાવ આચરે છે.* 1 x અત્રે વિસ્તારભયથી માત્ર સામાન્ય શબ્દાર્થ આપ્યો છે, પણ દ્રવ્યાનુયોગના નિચેડરૂ૫ આ કાવ્યને પરમ અદ્ભુત પરમાર્થ શ્રીમદે સૌભાગ્ય પરના પત્રમાં (અં. ૩૧૭) પ્રકાશ્યો છે, તે સ્થળનું જિજ્ઞાસુએ અવલોકન કરવું.