________________
૮૬
અધ્યાત્મ રાજચંદ્ર ‘ચિત્રસારી ન્યારી, પરજક ન્યાર, સેજ ન્યારી,
ચાદર ભી ન્યારી, ઈહાં જૂઠી મેરી થપના; અતીત અવસ્થા સિન, નિદ્રા વહી કેઉ પૈ ન,
વિદ્યમાન પલક ન, યામેં અબ છપના સ્વાસ ઔ સુપન દોઊ, નિદ્રાકી અલંગ બૂઝે,
સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગ,
ભાલે દૃષ્ટિ બાલિકે, સંભાલ રૂપ અપના.” ચિત્રશાળા ન્યારી-જૂદી છે, તેમાં પલંગ ન્યારો-જુદો છે, તેમાં સેજ-પથારી ન્યારી છે, તે પર બિછાવેલી ચાદર પણ ન્યારી છે, આવો પરવસ્તુ સાથે હારે સંબંધ છે, એમાં મ્હારી સ્થાપના કરવી–આત્મબુદ્ધિ કરવી જૂઠી છે. શયન અવસ્થા–સુષુપ્તિ દશા અતીત–ભૂતકાળમાં હતી તે અતીત થઈ છે, વ્યતીત થઈ છે; અજ્ઞાનનિદ્રા વહી ગઈ– ચાલી ગઈ છે, હવે આગલી કઈ પણ અવસ્થા રહી નથી કે જેમાં હવે આત્માને છુપાવાનું રહ્યું હોય. શ્વાસ ચાલે છે તે અને સ્વમ એ બને નિદ્રાથી પિતાનું અલગપણું બૂઝે છે–જાણે છે- હું ઊંઘી ગયે હવે તેમાં મને આ સ્વપ્ન આવ્યું હતું એવું નિદ્રાવસ્થાથી જૂદું સ્વપ્નાવસ્થાનું ભાન પોતાને રહે છે, તે મિથ્યા ક૯૫નારૂપ સ્વપ્નદશા પણું ચાલી ગઈ છે; હવે તો આત્માની જ્ઞાનરૂપ જાગ્રત દશા આવી છે, એટલે આત્મ-દર્પણમાં લખીને-લક્ષમાં લઈને પોતાના-આત્માના સર્વ અંગ સુઝે છે, એટલે આમ સમ્યગદષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતાભાવ ત્યાગીને ત્યાગી ચેતન બની, દષ્ટિ બેલિને દેખે છેભાળે છે, તે પિતાનું–આત્માનું સ્વરૂપ દેખે છે–સંભાળે છે. અર્થાત્ દેહરૂપ–નોકર્મરૂપ ચિત્રશાળા ન્યારી જૂદી છે, તે નોર્મ-ચિત્રશાળામાં મૂકેલ દ્રવ્યકર્મ રૂપ પલંગ જૂદ છે, તે દ્રવ્યકર્મ–પલંગમાં મૂકેલી ભાવકર્મરૂપ શય્યા જૂદી છે, અને તે ભાવકર્મ–શય્યા પર પાથરેલી બહિકર્મરૂપ સ્વજન-પરિગ્રહાદિ પ્રત્યે અહત્વ-મમત્વની મિથ્યા કલ્પનારૂપ ચાદર પણ જૂદી છે; આમ આત્મા જે ભાવકર્મની–અહંમમત્વની કલ્પનાથી પણ જુદો છે, તે દ્રવ્યકર્મથી–નોકમથી તો અત્યંત જૂદો છે, અને પરંપરિગ્રહાદિ બાહ્ય ભાવથી તે અત્યંત અત્યંત જૂદે છે. એટલે આ પરથી સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદના દિવ્ય આત્માએ સૌભાગ્યના પરમ ભવ્ય આત્માને આત્મજાગૃતિ આપતું ઉદ્દબોધન કર્યું છે કે હે સૌભાગ્યના આત્મા ! તમે આ સ્વજન–પરિગ્રહાદિને મોહ ચિંતવતા નહિં; રાગ-દ્વેષ ચિંતવતા નહિ, અહં–મમ ચિંતવતા નહિં; બહિકર્મ, કર્મ, દ્રવ્યકર્મ, ભાવકમ આદિ સર્વ ઔપાધિક ભાવો તમારા નથી. માટે આ સર્વ ભાવોથી ભિન્ન તમારા મૂળ શુદ્ધ સમયસારભૂત સહજ આત્મસ્વરૂપને જ ચિંતવ અને અખંડ આત્મજાગ્રતિમાં જ રહેજે !
આમ ભેદવિજ્ઞાન કરાવી સમયસારભૂત શુદ્ધ આત્મસ્વભાવમાં જાગ્રત રહેવારૂપ સ્વભાવજાગૃતદશાની આત્મજાગૃતિ આપી, શુદ્ધ આત્માનુભૂતિના અનુભવઉલ્લાસમાં રમણ