SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ ૪૮૫ જાણી મારાથી ત્યાં ન આવી શકાય તેવી શક્તિને લીધે આપને અહીં પધારવા વિનંતિ ઘણા દિવસ થયા કરું છું” છેવટ ચેડા વિલંબ પછી સૌભાગ્યના અત્યાગ્રહને માન આપી પરમ પ્રેમમૂત્તિ શ્રીમદ્દ વૈશાખ માસમાં સાયલા પધાર્યા અને ત્યાં ૧૦ દિવસ સ્થિરતા કરી. અને ભાદ્રવા માસથી લાગુ પડેલા જીર્ણ જવરને લઈ સૌભાગ્યની તબીયત નાદુરસ્ત હતી છતાં શ્રીમદે અતિ આગ્રહથી–પરમ પરમાર્થ પ્રેમથી સૌભાગ્યને ઈડર સાથે લઈ જવાનું કહ્યું. ત્યારે સૌભાગ્યભાઈના પુત્ર ત્રંબકલાલે કહ્યું–સૌભાગ્યભાઈના આવા ક્ષીણ શરીરે કાંઈ ઘરબહાર તેમને જવા દેવાનું કેઈને હૈયે બેસતું નથી. આવા શરીરને કેમ ભરોસો રાખી શકાય? તેમજ દુનિઆ અમને ગાંડા ગણે. શ્રીમદે જણાવ્યું–ત્યંબક, તમે સૌ ફિકર કર મા. શ્રી ભાગભાઈની સેવા તથા ઉત્તરકિયા તારા હાથથી થશે. આમ સર્વને નિરુત્તર કરી પરમ પરમાર્થમૂત્તિ શ્રીમદ્ પિતાના પરમ પરમાર્થ સખા સૌભાગ્યને પરમ પ્રેમથી વૈશાખ વદમાં ઈડર સાથે લઈ ગયા, અને ત્યાં ઇડર નિવૃત્તિક્ષેત્રે દશ દિવસ સ્થિરતા કરી શુદ્ધ આત્મસ્વભાવમાં રમણ કરતા પરમાર્થ મૂત્તિ શ્રીમદે પરમાર્થ મેઘની વર્ષા વર્ષાવી આ પરમાર્થસુહને અપૂર્વ લાભ આપી પરમ પરમાર્થ પ્રેમથી તરબોળ કરી દીધે, ઈડરથી મુંબઈ પધાર્યા અને સૌભાગ્યભાઈ પાછા ક્ષેમકુશળ સાયલા આવ્યા. પણ ત્યાર પછી સૌભાગ્યની શારીરિક સ્થિતિ દિનપ્રતિદિન વિશેષ લથડતી ચાલી, ઉત્તરોત્તર ક્ષીણતા થતી ગઈ. શ્રીમદે સૌભાગ્યની અંતિમ અવસ્થા જાણી મહામુમુક્ષુ અંબાલાલભાઈને ખાસ આજ્ઞા કરી સૌભાગ્યની પરમાર્થચિંતાર્થે–અંતિમ આરાધનામાં સહાયક ઉપકારી થાય એ અર્થે સાયલા મોકલ્યા; અંબાલાલભાઈ સૌભાગ્યભાઈની સેવામાં ખડે પગે હાજર રહ્યા. આ છેલ્લા દિવસો દરમ્યાન પરમ કરુણાનિધિ પરમ કૃપાળુ શ્રીમદે સૌભાગ્યની અપૂર્વ આત્મજાગૃતિ અર્થે–પ્રતિજાગરણ અર્થે અંતિમ આરાધનામાં પરમ પરમ ઉપકારી થઈ પડયા એવા ત્રણ અમર પત્ર લખ્યા, તેનું અત્ર સવિસ્તર અવતરણ કરશું. શ્રીમદ્દના સમસ્ત સત્સંગી મુમુક્ષુઓમાં સૌભાગ્ય મૂર્ધન્યસ્થાને છે, અને શ્રીમદના સમસ્ત પત્રસાહિત્યમાં સૌભાગ્ય પરના પત્રોનું સ્થાન મૂર્ધન્યસ્થાને છે, અને આ સૌભાગ્ય પરના પત્રોમાં પણ મૂર્ધન્ય સ્થાને કળશ ચઢાવતી આ અમર પત્રરત્નત્રયી છે. પરમ મુમુક્ષુ સૌભાગ્યને અંતિમ આરાધનામાં– અપૂર્વ સમાધિમરણમાં પરમ ઉપયોગી–પરમ ઉપકારી થઈ પડેલ આ મોક્ષમાર્ગની દીવાદાંડી સમી આ અમર પત્ર-રાત્રથી સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને આરાધના માટે–અંતિમ આરાધના માટે પૂર્વ માર્ગદર્શક થઈ પડે એવી છે. તેનું અત્ર પરિ ભાવન કરશું. ૨. અમર પત્ર-રત્નત્રયી સોભાગ્યને અપૂર્વ આત્મજાગ્રતિ આપનારી, અપૂર્વ અંતિમ આરાધના કરાવનારી, મહામુનીશ્વરોને પણ દુર્લભ અપૂર્વ સમાધિમરણ નીપજાવનારી આ અમર પત્રરત્નત્રયીના પ્રથમ પત્રરત્નમાં પ્રથમ શ્રીમદ્ હિંદી સમયસારનું સ્વભાવ જાગ્રતદશાનું આ અપૂર્વ ભાવવાહી કાવ્ય મૂકે છે–
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy