SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ યોગીશ્વર શ્રીમની લબ્લિસિદ્ધિનિસ્પૃહા ૧ હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થકરને વિષે ઘટે છે, હોય છે, તથાપિ તેને વિકસાવવાનો એક અંશ પણ તેને વિષે ઘટતો નથી. અને પૂર્વે જ્ઞાની પુરુષ થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણું જ્ઞાની પુરુષ સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લેકકથન છે તે સાચું છે કે બેટું ” એ સૌભાગ્યના પ્રશ્નના ઉત્તરમાં આ અમૃતપત્રમાં (અં. ૪૫૦) પણ શ્રીમદે આ અમૃત વચનેની ઉદુષણ કરી છે—કેટલાક માનુસારી પુરુષ અને અજ્ઞાન યોગીપુરુષને વિષે પણ સિદ્ધિગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણથી અથવા સિદ્ધિનેગાદિને અજ્ઞાનજેગે ફુરણા આપવાથી તે પ્રવર્તે છે. સમ્યક દષ્ટિ પુરુ કે જેને એથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે કવચિત્ સિદ્ધિ હોય છે, અને કવચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે, તેને તે ફુરણ વિષે પ્રાયે ઈચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે; અને જે તેવી ઈચ્છા થઈ તો સમ્યકત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે, છઠું ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિગને વિશેષ સંભવ થતો જાય છે, અને ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવતે તે પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણ ઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદને અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિગને લેભ સંભવતે જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હેવી સંભવે છે. બાકી જેટલાં સમ્યકત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યફ પરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.”—આમ માર્ગોનુસારી પુરુષને અને અજ્ઞાન ગીપુરુષને વિષે પણ સિદ્ધિ હોય છે અને ચોથા ગુણસ્થાનથી માંડી સમ્યગદષ્ટિ પુરુષને તેને ઉત્તરોત્તર વિશેષ સંભવ હોય છે, પણ જ્યાંલગી “સમ્યક પરિણામી આત્મા” છે ત્યાંલગી તે એકે જોગને વિષે જીવની પ્રવૃત્તિ ત્રણે કાળમાં સંભવતી નથી, તેની કુરણ વિષે પ્રાયે ઈચ્છા થતી નથી, અને જે પ્રમાદાદિનેગે સ્કુરણ થાય છે તો તેનું પતન થઈ પ્રથમ મિથ્યાદષ્ટિ ગુણસ્થાને તે આવી પડે છે. એવી સ્પષ્ટ ઉદ્દઘોષણા અત્ર જ્ઞાનીશ્વર શ્રીમદે કરી છે. અને સમ્યકજ્ઞાની પુરુષના આ સિદ્ધિોગના ચમત્કાર કેવી રીતે બનવા પામ્યા છે તેને અત્ર સ્પષ્ટ ખુલ્લેખુલ્લે ખુલાસે કરી, ગીશ્વર શ્રીમદ અત્રે આ અમૃતપત્રના અંતે પોતાના માટે અંગત ઉલ્લેખ આ અમૃત શબ્દોમાં કરે છે – “અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તે આ દેહ ધર્યો, ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યદૃષ્ટિપણું તો જરૂર સંભવે છે. કઈ પ્રકારને સિદ્ધિગ અમે ક્યારે પણ સાધવાને આખી જીંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતા નથી, એટલે સાધને કરી તે જગ પ્રગટો હેય એવું જણાતું નથી, આત્માના વિશુદ્ધપણાને કારણે જે કંઈ તેવું ઐશ્વર્ય હોય તે તેનું નહીં હોવાપણું કહી શકાતું નતી. તે એશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખત એ એ ધર્મની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણાં કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી; તે પછી તે ફરિત કરવા વિષેની ઇચ્છા કયારેય થઈ હોય એમ કહી શકાય નહીં એ સ્પષ્ટ વાર્તા છે.” અ૬૧
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy