________________
૪૮૦
અધ્યાત્મ રાજચંદ્ર વિસમ્રતિને હેતુ એવી કથા થાય છે, માટે તે પ્રકારના વિચારને કે શોધને નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે, અને તે ત્યાગે સહેજે નિર્ધાર થાય છે.” આમ સર્વ મંત્રવિદ્યાને જાણનારે ને સર્વ ગસિદ્ધિને ઘટમાં આણનારે કઈ ચમત્કારિક સિદ્ધયોગી લખતે હોય એવા આ વચને સૂચવે છે કે શ્રીમદ્દને મંત્રવિદ્યા-ગાદિ ચમત્કારિક સિદ્ધિ પ્રાપ્ત હતી, પણ આત્માના કલ્યાણ સંબંધનો એમાં કઈ મુખ્ય પ્રસંગ નથી એમ દઢ આત્મનિશ્ચયથી માનનારા શ્રીમદે તે સર્વ અંતમાં ગોપવી દીધી હતી, અને તેની સ્કરણ કરી ચમત્કાર બતાવવાનું સ્વપ્ન પણ સેવ્યું નથી. કારણ કે-“ચમત્કાર બતાવી ચોગને સિદ્ધ કરે, એ ગીનું લક્ષણ નથી. સર્વોત્તમ ભેગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સજ આચરે છે, જગત્ જેને વિસ્મૃત થયું છે. અમે એજ ઈચ્છીએ છીએ'—એમ સૌભાગ્ય પરના પત્રમાં (સં. ૨૬૦) સ્પષ્ટ જણાવ્યું છે તેમ, સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે સજ આચરનારા શ્રીમદ્ સર્વ પ્રકારની પૃહાથી રહિત એવા સર્વોત્તમ ભેગી હતા,-એ એમના કેલ્કીર્ણ વચને પરથી સ્વયં સિદ્ધ થાય છે.
અને ચગદષ્ટિસમુચ્ચય-ગદસિઝાયમાં પણ સ્પષ્ટપણે પ્રકાશ્ય છે તેમ, પાંચમી સ્થિરાદષ્ટિથી માંડીને સમ્યગ્રષ્ટિ યોગી પુરુષને તેના આત્મગુણની નિર્મલતાથી અષ્ટમહાસિદ્ધિ-નવનિધિઆદિ અનેક ગસિદ્ધિ ઘટમાં પ્રકાશે છે–રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે. ૪૪ ચિહ્ન ચગનાં રે જે પર ગ્રંથમાં, યોગાચારજ દીઠ; પંચમ દષ્ટિ થકી તે જેડીએ, એવાહ તેલ ગરીઠ, અને પાતંજલ
ગશાસ્ત્રમાં પણ અનેક વિભૂતિઓનું વર્ણન કર્યું છે તે યોગીપુરુષને પ્રકાશે છે,એમ સર્વ શાસ્ત્રો આની સાક્ષી પૂરે છે. એટલે શ્રીમદ્દ જેવા સિદ્ધ ગીશ્વરને અનેક યોગસિદ્ધિ પ્રગટી હોય એમાં આશ્ચર્ય નથી, પણ શ્રીમદ્દના દિવ્ય આત્માને તે સર્વ ચમત્કારનું ધામ એવા ચિચમત્કારમાત્ર ચિદુભૂતિ આત્માને જ પરમ મહિમાતિશય હતું, તે આત્મસ્વરૂપથી મહતું એમને મન આખા જગતમાં બીજું કંઈ ન હતું, આ સૃષ્ટિને વિષે આત્મસ્વરૂપને પ્રાપ્ત ન હોય એવો કોઈ પણ પ્રભાવજેગ ત્રણે કાળમાં છે નહિં એ અનુભવસિદ્ધ અખંડ આત્મનિશ્ચય એમને વર્તતો હતો, અને તે પ્રભાવગને વિષે વર્તવામાં જ્ઞાનીને કંઈ કર્તવ્ય છે નહિં—એને ફુરણ આપવામાં જ્ઞાની પ્રવર્તે જ નહિં,–એવો નિશ્ચલ નિશ્ચય પરમલબ્લિસિદ્ધિસંપન્ન જ્ઞાનીશ્વર શ્રીમદુના હૃદયમાં સોદિત હતા, અને તેવા પ્રકારે સૌભાગ્ય પરના આ અમૃતપત્રના (અં. ૪૧૧) આ અમૃત વચનેમાં શ્રીમદે ડિંડિમ નાદથી ઉદ્ઘાયું છે:
તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનું નથી કે જે પ્રભાવગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવગને વિષે વર્તાવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તો છે; અને જે તેને તે પ્રભાવગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત આજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાનો