SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ગીશ્વર શ્રીમદુની લબ્ધિસિદ્ધિનિસ્પૃહા ૪૭૯ વાત શું સાચી છે કે બેટી? એવા ભાવનું કુતુહલ સૌભાગ્ય દાખવ્યું હશે, તેને ઉત્તર (અં. ૪૦૯) શ્રીમદે આ આપે છે –“વનસ્પતિ આદિના જેગથી પાર બંધાઈ તેનું રૂપાં વગેરે રૂપ થવું તે સંભવતું નથી, તેમ નથી. ગસિદ્ધિના પ્રકારે કઈ રીતે તેમ બનવા ગ્ય છે, અને તે રોગનાં આઠ અંગમાંનાં પાંચ જેને પ્રાપ્ત છે તેને વિષે સિદ્ધિગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે. તેને વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મપરિણામને વિષે ચોગ્ય નથી. પારાનું સ્વાભાવિક પારાપણું છે.”—અત્રે અષ્ટાંગ ચગસિદ્ધિને પામેલો કોઈ તેવી સિદ્ધિને જાણ કાર તજજ્ઞ ગીપુરુષ જ આપી શકે એવા આ ચમત્કારિક ઉત્તરમાં –“તેને વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે?—આશ્ચર્યકારી કુતુહલ જે છે એ માર્મિક વચને, સૌભાગ્યનું કે કઈ પણ વિદ્યાસિદ્ધિના ચમત્કાર પાછળ દેડનારાનું કૌતુક શમાવી દેવાને પર્યાપ્ત છે. (૨) તેમજ સિદ્ધિગસંબંધી સોભાગ્યને સંશય દૂર કરતા બીજા પત્રમાં (અં. ૬૦૧) અણિમાદિ સિદ્ધિ– આદિ મંત્રગ સાચા છે, એમ કેઈ તેવી ગસિદ્ધિને પામેલે પુરુષ જ કહી શકે એવી નિશ્ચયદઢતાથી શ્રીમદ્ સ્પષ્ટ પ્રકાશે છે–“અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, ૩% આદિ મંત્રયોગ કહ્યા છે, તે સર્વ સાચાં છે. આશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કેઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવમાં સત્તનું ન્યૂનપણું વતે છે, અને તે કારણે તેવા ચમ ત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એવા પ્રશ્નો કેઈ કેઈવાર લખે છે તેનું શું કારણ છે, તે જણાવશે. એ પ્રકારના પ્રશ્નો વિચારવાનને કેમ હોય? –અત્રે આવા પ્રશ્ન વિચારવાનને કેમ હોય? એ માર્મિક ટકેર પણ કેઈપણ વિચારવાનને વિચાર કરતા કરી મૂકે એવી છે. (૩) મંત્રાદિથી, સિદ્ધિઆદિથી થઈ શકતા ચમત્કાર અંગેની એક બીજી પૃચ્છાના ઉત્તરમાં (અં. ૪૯૪) શ્રીમદ્દ સૌભાગ્યને લખે છે–મંત્રાદિથી, સિદ્ધિથી અને બીજાં તેવાં અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી, તથાપિ ઉપર જેમ અમે જણાવ્યાં તેમ ભેગવવા યોગ્ય એવાં નિકાચિત કર્મ તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં; અમુક શિથિલ કર્મની કવચિત નિવૃત્તિ થાય છે, પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેવા વિના નિવૃત્ત થાય છે એમ નહીં; આકારફેરથી તે કર્મનું વેદવું થાય છે. આ શિથિલ કર્મ કેવી રીતે નિવણે છે તેનું ઊંડું તત્વજ્ઞાન સ્પષ્ટ વિવરી દેખાડી શ્રીમદ્દ પત્રના અંતે અત્રે પણ માર્મિક ટકેર કરે છે–પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી; નિષ્ફળ વાર્તા છે. આત્માના કલ્યાણ સંબંધને એમાં કઈ મુખ્ય પ્રસંગ નથી. મુખ્ય પ્રસંગ,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy