SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ અધ્યાત્મ રાજચંદ્ર થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ, એમ એગ્ય છે.”—અત્રે પૂર્વે જે જે વિદ્યાદિની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે વિસ્મરણ કરી નિર્વિકલ્પ થવાની જ શ્રીમદની વર્તાના છે; અને માયાની પ્રાપ્તિને લગતી એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી મરણ મળવું ન જોઈએ એવી શ્રીમદૂની સૌભાગ્યને કડક ચેતવણું સ્પષ્ટ સૂચવે છે કે અનેક વિદ્યા-સિદ્ધિ શ્રમને અનુભવસિદ્ધ છે–પ્રાપ્ત છે, છતાં તેના પ્રયોગની વાત તે દૂર રહે પણ પરમ નિસ્પૃહ શ્રીમદ્દ તેનું સ્મરણ પણ કરવા ઈચ્છતા નથી, એવા પરમ નિસ્પૃહ તે પ્રત્યે છે. તેમજ એક બીજા પત્રમાં (સં. ૨૩૫) – વિગતવાર પત્રથી એક છેડે ભાગ બાદ કરતાં બાકીને ભાગ પરમાનંદનું નિમિત્ત થયો હતો. જે થેડે ભાગ બાધકર્તારૂપ છે, તે ઈશ્વરાનુગ્રહે આપના હૃદયથી વિસ્મૃત થશે એવી આશા રહ્યા કરે છે,–એ શબ્દ પણ તે માયિક વિદ્યાદિ સંબંધી જ ઉલ્લેખ સૂચવે છે. અને યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં માટે તમે જે આકુલતાને લઈ ઈચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા યોગ્ય છે. ૪ ૪ બાકી બીજા પ્રયત્ન તે કર્તવ્ય નથી” (અં. ૩૭૪)–એ પત્રમાં આવતે “બાકી બીજાં પ્રયત્ન તે કર્તવ્ય નથી એ ઉલ્લેખ પણ તે વિદ્યા સિદ્ધિ આદિને માર્મિક નિર્દેશ કરે છે. લબ્ધિ-સિદ્ધિ આદિ પ્રત્યે આવા પરમ નિસ્પૃહ શ્રીમદને આ વિદ્યા–સિદ્ધિઆદિ માયિક પદાર્થોનું સ્મરણ પણ કવચિત્ જ થતું અને તે દ્વારે કઈ જાણવાનું કે સાધવાનું લાગતું નહિં; એટલું જ નહિં પણ તેમાં ચિત્તપ્રવેશ પણ થતું નહિંએ દર્શાવતે ઉલ્લેખ સૌભાગ્ય પરના આ પત્રમાં (અં. ૩૨૯) પ્રાપ્ત થાય છે— તિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણે આત્માને તેનું સ્મરણ પણ કવચિત્ જ થાય છે. તે વાટે કઈ વાત જાણવાનું અથવા સિદ્ધિ કરવાનું કયારેય યોગ્ય લાગતું નથી, અને એ વાતમાં કઈ પ્રકારે હાલ તે ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. તેમજ યથાર્થ બોધની ઉત્પત્તિ પછી પિતા માટે કે પર માટે કઈ પણ પ્રકારના સિદ્ધિગે કે વિદ્યાચગે કંઈ પણ સાંસારિક સાધન ન જ સાધવું એવી પરમ દઢ આત્મપ્રતિજ્ઞાનું શ્રીમદે કેવું અખંડ પાલન કર્યું હતું, તેની સાક્ષી તેમના સૌભાગ્ય પરના પત્રના (અં. ૩૨૨) આ અમૃતવચને જ પોકારે છે–“જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ; અને અમે તે ચિંતાને કઈ પણ ભાગ જેટલો બને તેટલે દવા ઈચ્છીએ છીએ, પણ એમ તો કેઈ કાળે બન્યું નથી, તે કેમ બને? અમને પણ ઉદયકાળ એ વર્તે છે કે હાલ રિદ્ધિગ હાથમાં નથી.” ઈત્યાદિ. - સૌભાગ્યભાઈએ કવચિત્ વિદ્યા–સિદ્ધિ-મંત્રાદિના ચમત્કાર અંગે કૌતુકથીકુતુહલથી શ્રીમદ્દને પૃચ્છા કરી હતી, તેના કૌતુકને શમાવી ઘે એવા અદ્ભુત ઉત્તર થીમ આખ્યા હતા : (૧) પારાનું મારણ કરી તેનું રૂપ આફ્રિરૂપે પરિણમન થાય એ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy