________________
પ્રકરણ તેતેરમું ગીશ્વર શ્રીમન્ની લબ્ધિસિદ્ધિનિસ્પૃહા
અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ, રોગીને હોયે સંનિધિ વિભૂતિ સૌ દાસી થઈ ફરે, આવી સ્વયં ગીને વરે. તે સામી નવ દષ્ટિ કરે, ચગી સમ્યગ્દષ્ટિ ખરે! અનંત જ્યાં આત્માની ઋદ્ધિ, ત્યાં કુણ માત્ર જ લબ્ધિસિદ્ધિ?”
–ગદષ્ટિકળશ (સ્વરચિત) શ્રીમદ્દ જેવા સાક્ષાત યોગસિદ્ધિસંપન્ન સિદ્ધ ગીને આત્મવિશુદ્ધિને લઈ અનેક લબ્લિસિદ્ધિ પ્રગટી હતી, પણ સ્વાર્થે કે પરાર્થે તેને કુરણ આપવાને ગપ્રગ કરવાનું સ્વપ્ન પણ આ ગીશ્વરે સેવ્યું ન હતું,-એ જ પરમ નિસ્પૃહ શ્રીમદૂની તેવી લબ્ધિસિદ્ધિ પ્રત્યેની પરમ નિસ્પૃહા પ્રકાશે છે, અનેક યુગવિભૂતિઓ દાસી થઈને એમની સેવામાં ફરતી હતી, પણ તેની સામે દૃષ્ટિ કરવાની પણ આ પરમ સમ્યગદષ્ટિ જ્ઞાનીશ્વરે તકલીફ લીધી ન હતી, પોતાને માટે કે પરને માટે પારમાર્થિક વિભાવથી કઈ પણ સાંસારિક વૈભવ પ્રાપ્ત કરવાનું સ્મરણ પણ કર્યું ન હતું, – એ જ એમના દિવ્ય આત્માને પરમ મહિમાતિશય પિકારે છે. પરમ પરમાર્થ જ્ઞાની યોગીશ્વર શ્રીમદની આ અલૌકિક અનુપમ લબ્ધિસિદ્ધિનિસ્પૃહાનું આ પ્રકરણમાં દિગદર્શન કરશું.
સર્વ પ્રભાવગનું અધિષ્ઠાન એવું સર્વથી મહત્ મહામહિમાવાનું શુદ્ધઆત્મસ્વરૂપસહજાન્મસ્વરૂપ જેને પ્રગટયું હતું એવા કલ્યાણમૂત્તિ શ્રીમદને આત્મવિશુદ્ધિને કારણે અનેક લબ્લિસિદ્ધિ પ્રગટી હેય એમાં આશ્ચર્ય નથી. શ્રીમદનું જ ટકેલ્કીર્ણ અમૃતવચન છે કે—તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયે નથી, છે નહીં અને થવાનો નથી કે જે પ્રભાવજગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય.” (અં. ૪૧૧). શ્રીમદને અનેક લબ્ધિસિદ્ધિ પ્રગટી હતી એનું આડકતરૂ ગર્ભિત સૂચન શ્રીમદના સોભાગ્ય પરના પત્રોમાં આવતા ઉલ્લેખો પરથી મળી આવે છે. આગલા પ્રકરણમાં જણાવ્યું હતું તેમ સૌભાગ્યે કોઈ વિદ્યા-સિદ્ધિજોગથી પોતાની વ્યાવહારિક આપત્તિ ટાળવાનું શ્રીમદને વિજ્ઞાપન કર્યું હશે, તેના ઉત્તરમાં (અ. ૨૩૪) શ્રીમદ્ સૌભાગ્યને લખે છે–પૂર્વે જે જે વિદ્યા, બેધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે, તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકે નથી, અને તેને લીધે જ આમ વત્તી એ છીએ. તથાપિ આપની અધિક આકુલતા જોઈ કંઈને કંઈ આપને ઉત્તર આપ પડ્યો છે તે પણ સ્વેચ્છાથી નથી; આમ હવાથી આપને વિનંતિ છે કે એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા