SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર સર્વ મુમુક્ષુને ને ખાસ સૌભાગ્યને ઉદ્દેશીને કહે છે તે પછી જેનું અમારાથી પરમાર્થ બળ કે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય તેણે તે જરૂર તે માગણા બળવાનપણે રાખવી, એ જ તેને બળવાન શ્રેય છે, અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તે અવશ્ય તેમ વર્તવું ઘટે; કેમકે તમારૂં અનુકરણ સહજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે, એ અમારે વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતાં પણ મટતે નથી, પણ સામે વધારે બળવાન થાય છે.” ઇત્યાદિ. આમ આ અમૃતવચનેમાં સૌભાગ્યની તથા બીજા મુમુક્ષુ જીવની પરમાર્થહિતવાર્તા લખી પરમ અનુકંપાસંપન્ન પરમકૃપાળુ શ્રીમદ્ આ અમૃતપત્રના અંતે પિતાને અંગત અંતર્ગત પૂર્ણ સહાનુભૂતિપૂર્ણ ઉદાત્ત વિચાર પણ આ અમૃત શબ્દમાં વ્યક્ત કરી દીએ છે–“મારો પોતાને મારા આત્માથે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે ૪૪ તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એ વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જે કઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપારોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમકે એવો માર્ગ અષભાદિ મહાપુરુષે પણ કયાંક કયાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગયે છે; તે અમારા અંગેના વિચારને છે. અને તેવી આચરણું સપુરુષને નિષેધ નથી, પણ કઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થને રોધ કરનાર તે વિષય કે સેવાચાકરી થતાં હોય તે તેને સત્વરુપે પણ ઉપશમાવવાં જોઈએ. આ અમર શબ્દોમાં શ્રીમદે પરમાર્થ સહદુ સૌભાગ્ય પ્રત્યેની પિતાની પૂરેપૂરી સાનુકંપ સહાનુભૂતિ દર્શાવી દીધી છે, અને કેઈપણ મુમુક્ષુસત્પાત્ર–અનુકંપાગ્યની–“તેને જણાવ્યા સિવાય’–ડાબે હાથ આપે ને જમણો ન જાણે એવી ગુપ્ત રીતે, યથાશક્ય સેવાચાકરી કરવાની પોતાની અંતર્ધારણા-ઉદાત્ત ભાવના અત્ર વ્યક્ત કરી છે. આવા પરમ પરમાર્થહિતસ્વી અમૃત વચને પ્રકાશી નિષ્કારણકરુણરસસાગર પરમ કૃપાળુ શ્રીમદે, સાંકડી સ્થિતિમાં વત્તતા પિતાના પર માર્થહદ સૌભાગ્યનું પતન ન થવા દેતાં, પરમાર્થમાં અનન્ય અદ્ભૂત સ્થિરીકરણ કર્યું હતું. ખરેખર! સૌભાગ્ય જેવા પરમાર્થ શિષ્યને શ્રીમદ્દ જેવા પરમાર્થગુરુએ આવું પરમાર્થમાં સ્થિરીકરણ કર્યું, તે જગતમાં સર્વ કેઈએ ધડો લેવા લાયક અદુભુત દાખલ છે. જગતમાં એવા ઘણાય હોય છે કે જેની પાસે કાંઈ લબ્ધિસિદ્ધિ હતી નથી છતાં હેવાને દંભ રાખી–ડોળ કરી શિષ્યને લાલચુ–સકામ બનાવે છે, અને આમ લોભી ગુરુ ને લાલચુ ચેલા, દેનું નરકમેં ઠેલંઠેલા” એવા દાખલા ઠેર ઠેર જોવા મળે છે, પણ જેને ખરેખર અનેક લબ્ધિસિદ્ધિ પ્રગટી હતી એવા શ્રીમદ્દ જેવા પરમ નિષ્કામ પરમ પરમાર્થગુરુએ કિંચિત્ કવચિત્ સકામ શિષ્યની કામનાને પણ નિષ્કામ-નકામી બનાવી દીધી, એવો દાખલો તો જવલ્લે જ જોવા મળે છે. અને એ જ વસ્તુ પુણ્યશ્લેક શ્રીમદ્દ પરમ ઉદાત્ત અદ્દભુત મહિમાતિશય પ્રકાશે છે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy