SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ સાંકડી સ્થિતિમા સૌભાગ્યનું સ્થિરીકરણ ૪૭૫ જે ઘટે નહીં તે જીવ તે કરે છે તે ભૂમિકાને તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તે પણ એક અક્ષર અમારી પાસે તે તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાગ ચગ્ય છે.” આ બે પ્રકારની યાચનામાં પ્રથમ પ્રકારની યાચના લકત્તર મિથ્યાત્વનું બીજ છે તે નિકટભવી મુમુક્ષુએ કરવી ઘટે જ નહીં તે સ્પષ્ટ શબ્દોમાં દર્શાવે છે–તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કઈ પણ નિકટભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તે પણ તેને મૂળથી છેદવી ઘટે; કેમકે લોકેત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે, એવો તીર્થંકરાદિનો નિશ્ચય છે; તે અમને તો સપ્રમાણ લાગે છે. અને જ્ઞાનીને પરિશ્રમનો હેતુ થાય એવી બીજી યાચના પણ મુમુક્ષુએ જ્ઞાની પ્રત્યે કરવા યોગ્ય નથી એ પણ તેવા જ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવે છે—બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમકે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વહેવારને પરિશ્રમ આપીને વહેવાર નિભાવ એ આ જીવની વૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે; કેમકે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વહેવાર ચલાવી દેવો પડતો હોય તે તે તમને હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી.” જ્ઞાનીને અર્થે મુમુક્ષુ પરિશ્રમ કરે તો તેને હિતરૂપ છે, પણ મુમુક્ષુને અર્થે જ્ઞાનીને પરિશ્રમ કરે પડે તે મુમુક્ષુને હિતરૂપ નથી–અહિતરૂપ છે; આમ મુમુક્ષુની સેવાથી પિતાને દોષનું કારણ થાય એમ નથી એવા પરમ સમર્થ છતાં શ્રીમદ્દ જેવા જ્ઞાની પણ પિતા માટે કોઈ પણ મુમુક્ષુને લેશ પણ પરિશ્રમ આપી કંઈ પણ વ્યાવહારિક સેવાલાભ ઊઠાવવા માગતા નથી, એટલું જ નહિં પણ ચોખા વ્યાવહારિક ધારાધોરણ પ્રમાણે સર્વ વ્યવહારમાં કેવી અણીશુદ્ધ વ્યવહારશુદ્ધિ જ જાળવવા માગે છે, તે તેમના આ અમર શબ્દો જ બતાવી આપે છે–એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય, એ વહેવાર ઉદયમાં હોય ત્યાંસુધી જાતે તે કાર્ય કરવું અથવા વહેવારિક સંબંધી ધારાદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તે પરિશ્રમ આપીને ન કરવું, કેમકે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે, કદાપિ અમારૂં ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ કાળ એ છે, કે જે અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તે સામા જીવને વિષમતા ઉદ્દભવ ન થાય; અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વતી પરમપુરુષના માગને નાશ ન કરે. એ આદિ વિચાર પર મારૂં ચિત્ત રહે છે. આમ બીજા અને મલિન વાસના કે વિષમતા ન થાય એ અર્થે અને અશુદ્ધ વૃત્તિવાન જીવ તેને દાખલ લઈ જ્ઞાનીના માર્ગને નાશ ન કરે એ અર્થે પરમ દીર્ઘદશી પરમાર્થ દષ્ટિ શ્રીમદ્દ જેવા પરમાર્થમાં સુસ્થિત પરમ જ્ઞાનદશાસંપન્ન સમર્થ જ્ઞાની પણ વ્યવહારમાં આવી અણીશુદ્ધ શુદ્ધ વ્યવહારશુદ્ધિથી વર્યા છે, તે પછી બીજા સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવે તે તે વર્તન કેટલું બધું જાળવવું જોઈએ ? એ શ્રીમદના અમર વચને પરથી સર્વ કેઈએ ધડો લેવા યોગ્ય છે, અને એ જ વસ્તુ અત્ર અમૃતપત્રમાં શ્રીમદ્
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy