________________
૪૭૩
સાંકડી સ્થિતિમાં સૌભાગ્યનું સ્થિરીકરણ કહેવાનો હેતુ શે એ અંગે ખુલાસો કરતા કે “તિને કલ્પિત કહેવાનો હેતુ એ છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે; અને પારમાર્થિક જ સત છે; અને તેની જ રટના રહે છે.” (અં. ર૨૨). એમ જતિને કલ્પિત જણાવી પરમ તિમૂત્તિ શ્રીમદ્ સૌભાગ્યને સામે સીધે પ્રશ્ન (Poser) કરતા–“જ્યોતિષ જેવા કલ્પિત વિષયને સાંસારિક પ્રસંગમાં નિઃસ્પૃહ પુરુષ લક્ષ કરતા હશે કે કેમ? અને અમે જેતિ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માને તે સારૂં, એવી હાલ ઈચ્છા છે. તે આપને રુચે છે કે કેમ? તે લખશો.” (અં. ર૩૩). આમ પરંતિ સ્વરૂપ દિવ્ય આત્મતિના ધ્યાનમાં જ નિમગ્ન પર તિરૂ૫ શ્રીમદ્ તિષદર્શન અંગેની સૌભાગ્યની આકુલતા ટાળતા.
આ તિષપૃચ્છા ઉપરાંત કે વ્યવસાયવેગથી અથવા વિવા-મંત્ર-સિદ્ધિઆદિના ચોગપ્રયોગથી પોતાનું કામ કરી આપવાની સકામ યાચના પણ સોભાગ્યભાઈ શ્રીમદ્દ પ્રત્યે કરતા. તેના ઉત્તરમાં શ્રીમદ્ સૌભાગ્યને તેવા સકામપણાના મહાભયસ્થાન પ્રત્યે સખ્ત શબ્દમાં કડક ચેતવણી આપતા, અને જ્ઞાની પ્રત્યે તેવા સકામપણાથી દર્શનાવરણીય કર્મને પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે, તેવી નિદાનબુદ્ધિથી સમ્યકત્વને રોધ રહે છે, પરમાર્થ દષ્ટિ મટી, સંસારાર્થ દષ્ટિ થઈ જાય છે, ફરી સુલભધિપણું પામવું કઠણ પડે છે, એમ સ્પષ્ટપણે ચેકખા શબ્દોમાં જણાવી દેતા– જ્ઞાનીને વિષે જે કંઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે તે જીવને દશનાવરણીય કર્મને પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તે પ્રતિબંધ કેઈને પિતાથકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જ્ઞાની પિતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરીને આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી, એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પિતાની ઈચ્છા તે થકી પૂર્ણ ન થતી દેખીને પણ જેને દેષ આવતું નથી, એ જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિને નાશ હોય છે, અથવા ઘણું મંદવાણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે, અને તેથી ઉપર જણાવ્યું છે, એવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. અમને તો એવી જંજાળ વિષે ઉદાસીનપણું વતે છે. (અં. ૩૬૮). “અમને એમ લાગે છે કે વારંવાર તમે લખે છે, તે કુટુંબમોહ છે, સંકલેશપરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈપણ અંશે બુદ્ધિ છે; અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય છે તેથી તેને રસ્તે કરવાને બદલે એમ થાય છે, કે આવી નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાંસુધી સમ્યકત્વને રાધ રહે ખરો, એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે, તેને લખવું તે તમને યોગ્ય નથી. (અં. ૫૩૮) પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણીવાર પરમાર્થ દષ્ટિ મટી સંસારાર્થદષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દષ્ટિ થયે ફરી સુલભધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી અ-૬૦