SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ અધ્યાત્મ રાજચંદ્ર પરમાર્થઘટનાથી કઠણાઈને ડંખ હૃદયમાંથી કઢાવી નાંખી શ્રીમદે પરમાર્થસુદ્ધ સોભાગ્યના હૃદયનું પૂર્ણ સહાનુભૂતિપૂર્ણ આશ્વાસન કર્યું હતું. તેમજ-બીજા પત્રમાં (અં. ૨૩૩) પણ આ પરમાર્થસખાને મોહ-શોક દૂર કરવા શ્રીમદ્ તે જ ભાવ દર્શાવે છેઃ “ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હેય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાને માર્ગ છે કે કેમ? અને પિતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માગે છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જે કરી શકીએ છીએ તે પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે?” વળી સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તે મુમુક્ષુને સંસારથી તરવા બરાબર છે, કારણકે આ સંસારસ્વરૂપની સ્પષ્ટ વિચારણાને વખત તેવા પ્રતિકૂળ પ્રસંગમાં વિશેષ હોય છે એમ ઊંડું તત્ત્વજ્ઞાન દર્શાવી, શ્રીમદ્ આ પરમાર્થ સખાને મેહ-શેક દૂર કરતાં એક બીજા પત્રમાં (અં. ૪૯૨) લખે છે—અમારા ચિત્તમાં તે એમ આવે છે કે, મુમુક્ષુ જીવને રડા કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે; અનંતકાળથી અભ્યાસેલે એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. ૪ ૪ આ તમને એક સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મુંઝાવું ઘટતું નથી. એ પ્રસંગ જે સમતાએ વેદવામાં આવે તે જીવને નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગેનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલપનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શેક ઘટે નહીં, એમ શ્રી તીર્થકર કહેતા હતા. ઇત્યાદિ. આમ સૌભાગ્યની વ્યવહારચિંતાજન્ય શાચરૂપ આકુળવ્યાકુળતા દૂર કરવા માટે પરમાર્થમૂર્તિ શ્રીમદ્ વારંવાર ઉપદેશ આપતા તથાપિ તે વિસ્મૃત થઈ જઈ ભવિષ્યમાં શું થશે? એવી ચિંતાકુલતાને લઈ સૌભાગ્ય પરમ તિવિંદૂ શ્રીમદને ભવિષ્ય-જ્યોતિષ બા. પૃચ્છા કરતા. તેના જવાબમાં શ્રીમદ્દ તિષને કલ્પિત કહી તે પર પિતાને લક્ષ રહ્યો નથી-રુચિ રહી નથી-ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી એમ સ્પષ્ટ જણાવતા–“ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે તે વાત પર હમણાં લક્ષ રહ્યું નથી. (અં. ૧૩૨). આપે જ્યોતિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે અને કલ્પિત પર લક્ષ નથી. (અં. ૨૨૧) જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણે ભાગ તેને જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી. અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તે પણ બેજારૂપ લાગે છે. થડી પણ તેમાં રુચિ રહી નથી. અમને તે માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. (અં. ૩૩૯). અને જ્યોતિષને કલ્પિત
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy