________________
સાંકડી સ્થિતિમા સૌભાગ્યનું સ્થિરીકરણ
૪૭૧ આમ પરમ પરમાર્થ રંગી શ્રીમદ્દ પરમાર્થ સંગી સત્સંગીઓને મલિન વાસનાને હેતુ ન થાય અને પૂર્વાપર એમનું શ્રેય થાય એ પરમાર્થઅર્થે સ્પષ્ટ લખતા, અને પરમાર્થસુહૃદ સૌભાગ્યને તે આ પરમાર્થને નાશ કરનારી ભાવના ન થાય એ અર્થે ખાસ ભલામણ કરતા.
આમ છતાં વ્યાવહારિક કઠણાઈ બા. સૌભાગ્ય શ્રીમદને પિતાની મુંઝવણ લખતાકઠણાઈ રહ્યા કરે છે તેને અત્યંત માર્મિક ઉત્તર (અં. ૨૨૩) આપતાં શ્રીમદે માર્મિકપણે જણાવ્યું છે કે–પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈનોંયતે પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તે ચાહીને પરમાત્માની ઈચ્છારૂપે માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે.” એમ માર્મિકપણે વ્યંગમાં જણાવી શ્રીમદ્દ અત્રે જનકવિદેહીની અપ્રગટ કઠણાઈ અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપે પ્રગટ કઠણાઈને નિર્દેશ કરે છે, અને તેવી કઠણાઈ ભગવદ્ભક્તને ઘટારત જ છે-હેવી જોઈએ એમ કહી એ કઠણાઈ માયાની છે પણ પરમાત્માની તે એ સરળાઈ છે એમ સ્પષ્ટ કર્થ છે –“જનકવિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનકવિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે, તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી, અને હેવી જોઈએ. એ કઠણાઈ માયાની છે અને પરમાત્માના લક્ષની તે એ સરળાઈ છે, અને એમ જ હે.” અત્રે પ્રસંગોપાત્ત કભુ રાજાનું બોધક દૃષ્ટાંત આપ્યું છે–“કભુ રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે ક્રભુ રાજાએ માગ્યું કે હે ભગવાન! આવી જે રાજ્યલક્ષમી મને આપી છે તે ઠીક જ નથી, તારે પરમ અનુગ્રહ મારા ઉપર હોય તે પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષમીનું ફરીથી મને સ્વનું પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિગ થઈ જઈ તથાસ્તુ કહી સ્વધામ ગત થયા.” આમ કહેવાનો આશય શું? તે દર્શાવે છે-“કહેવાનો આશય એવો છે કે એમ જ
ગ્ય છે. કઠણુઈ અને સરળાઈ શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણુઈ અને અશાતા તે વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાને પ્રતિબંધ દર્શનરૂપ નથી. આપને તે એ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હેવી ઘટારત નથી એમ ઊગતું હોય તે તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબપ્રત્યે નિઃશનેહ હે, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારૂં છે એમ ન માને, અને પ્રારબ્ધયેગને લીધે એમ મનાય છે તે ટાળવા આ કઠણાઈ મેં એકલી છે. અધિક શું કહેવું? એ એમ જ છે'.આમ આ અમૃતપત્રમાં (અં. ૨૨૩) ભગવદ્ભક્તને કઠણાઈ હોવી જોઈએ, એ કઠણાઈ માયાની છે–પરમાત્માની તે સરળાઈ છે, સરળાઈ કરતાં કઠણાઈ તે વિશેષ અનુકૂળ છે, અને આ કઠણાઈ તે કુટુંબાદિ મોહ ટાળવા ખાસ મોકલાઈ છે, ઈત્યાદિ પ્રકારે અદ્ભુત