________________
૭૦
અધ્યાત્મ રાજચંદ્ર
બાજુની ઘણું સંભાળથી કરવી ઘટે, એક લાભને જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. (અં. ૫૪૪) એમ પ્રારબ્ધદય નબળે હોય ત્યારે વિશેષ પ્રવૃત્તિ ન કરવાની વાત ઠસાવવા શ્રીમદ્દ પ્રયત્ન કરતા, અને “મુંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે થતી નથી, અને આ ધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મૂકાય છે (અં. ૫૪૪) એ વાતનું સ્મરણ આપી, સૌભાગ્યને નહિં મુંઝાવાને અને આર્તધ્યાન ધરી જ્ઞાનીના માર્ગ પર પગ નહિં મૂકવાને માર્મિક બાધ આપતા.
શ્રીમદ્દ જેવા પરમ નિસ્પૃહ નિષ્કામ પરમ પરમાર્થ પુરુષને તે જેની સાથે પરમાર્થ પ્રસંગ હોય તેની સાથે વ્યવહારપ્રસંગની વાત મૂળથી જ બીલકુલ પસંદ ન હતી, તે પ્રત્યે અત્યંત કંટાળે હતે, એટલું જ નહિં પણ તેથી ઘણી મુંઝવણ થતી, ત્રાસ ઉપજતે; એટલે શ્રીમદ્દ વ્યાવહારિક વાત જેમ બને તેમ ઓછી લખવાનું સૌભાગ્યને વારંવાર સૂચવતા, કારણકે તે વ્યાવહારિક સ્થિતિ શ્રીમદના લક્ષ હાર ન હતી, એમને મે જ હતી, છતાં ગભરાટ શમાવવા લખાતી હોય તો તેવા પ્રકારથી તે લખાતી હતી, તે વાત આધ્યાનના રૂપ જેવી લખાઈ જતી તેથી શ્રીમદને બહુ સંતાપ થતે. (અં. ૫૪૦, ૫૩૧, ૩૦૪). તેવી વ્યાવહારિક વાતમાં શ્રીમનું ચિત્ત પણ પ્રવર્તતું નહિં, પત્રોત્તર પણ સૂઝતો નહિં, એટલે ઘણીવાર મૌન રહેતા, અને તે મૌનપણા માટે પણ અવિક્ષેપતા રાખવાની ભલામણ કરતા. (અં. ૩૪૭, ૨૭૯). વળી સૌભાગ્ય સાથે શ્રીમદને પરમાર્થ સંબંધ તે એટલે બધે ઘનિષ્ઠ અને વિશિષ્ટતમ પ્રકારનો હતો કે તેમને તે આ પરમાર્થ સંબંધમાં વ્યવહારસંબંધની વાત ન જ કરવા–ન જ લખવા શ્રીમદ્દ વારંવાર ભાર દઈને લખતા–
મારૂં અંતરનું અંગ એવું છે કે પરમાર્થપ્રસંગથી કંઈ મુમુક્ષુ જીવને મારે પ્રસંગ થાય તે જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહે તે જ તેનું શ્રેય થાય; પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, તે પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાને નાશ કરે, એમ મને નિશ્ચય રહે છે, અને તે જ કારણથી તમને ઘણીવાર તમારા તરફથી કઈ વ્યાવહારિક પ્રસંગ લખાઈ આવ્યા હોય ત્યારે ઠપકે આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આ વ્યવસાય જણાવવાનું કેમ ન થાય તેમ જરૂર કરી કરે. ૪ x બીજા કોઇ પણ સત્સંગપ્રસંગમાં એમ કરે તે મારૂં ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે; કેમકે પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. તમે જ્યારે જ્યારે વ્યવસાય વિષે લખ્યું હશે, ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે. ૪ ૪ રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરે પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તે પણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણ એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી, કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઈચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું, આ વાતને વિશેષ નિશ્ચય રાખજે.” (અં. ૫૪૮).