________________
સાકડી સ્થિતિમાં સોભાગ્યનું સ્થિરીકરણ અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી રહેતી એમ આપે લખ્યું તે એગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાનું અકળામણ તે એગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે. એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું; અને પછી જે આપને અકળામણ જન્મ પામે, તો જોઈ લઈશું. ૪ ૪ અકળામણ રાખશો નહીં. અમે તે એ માર્ગથી તર્યા છીએ. (અં. ૨૫૦). આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશે. જે થવા હશે તે થઈ રહેશે. અને આકુળતા કરતાં પણ જે થવા હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.” (નં. ૪૯૪) આમ વ્યવહારચિંતાથી આકુલ પરમાર્થ સહદુ હૃદયરૂપ સૌભાગ્યને ખરા હૃદયનું આશ્વાસન આપતાં શ્રીમદ્દ પ્રાપ્ત ઉદયને સમભાવે વેદો અને આકુલતા ન રાખવી એમ ખેદહારક ઉત્સાહપ્રેરક બોધ આપતા–
“આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઈચ્છા પણ લક્ષમાં છે. ગુરુઅનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભેગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છે તે પણ જાણીએ છીએ. XX ગમે તેવા દેશકાળને વિષે યથા રહેવું, યથાગ્ય રહેવા ઈછળ્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણ તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઈચ્છા પણ નહીં એમ વિનંતિ છે. (અ. ૩૧૩) સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કેઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે. ૪ ૪ પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તે ન રાખીએ તે બન્ને સરખું છે, કેમકે જેમાં પિતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે એગ્ય જ માનવું એ દષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે.” (અં. ૩૨૨)
પિતાની કડી સ્થિતિ નિવેદન કરી પરમાર્થ શિષ્ય સૌભાગ્યે કવચિત ગુરુઅનુ. ગ્રહથી શિષ્યનું અમુક દુઃખ ટળ્યું એવી વાર્તા લખી શ્રીમદ્દ જેવા પરમાર્થ ગુરુ પ્રત્યે આડકતરી ગર્ભિત સ્પૃહા દર્શાવી હશે કે આપ જેવા પરમ સમર્થ ગુરુના અનુગ્રહથી કઈ રીતે અમારું આ દુઃખ ટળે–આ ચિંતા મટો, એના ઉત્તરમાં પરમાર્થગુરુ શ્રીમદે અત્રે જણાવ્યું જણાય છે કે એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કમ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે”, અને એટલે જ અત્રે માર્મિકપણે એ પણ સૂચવી દીધું છે કે “જ્ઞાની અન્યથા કરે નહીં', પારમાર્થિક વૈભવથી સાંસારિક ફલપ્રદાનરૂપ અન્યથા પ્રકાર આચરે નહીં, જ્ઞાની પુરુષોની સનાતન પ્રણાલિકાથી અન્ય પ્રકારે વર્તે નહીં, અને સૌભાગ્યને તેવા પ્રકારનો ઉદય દેખી શ્રીમદ્દ સૌભાગ્યને પ્રસંગવશાત્ ચેતવતા પણ ખરા કે—“ જ્યારે પ્રારબ્ધદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુ