________________
૪૬૮
અધ્યાત્મ રાજચંદ્ર પામેલે તજજ્ઞ દિવ્ય આત્મા જ—“તેને પરમાર્થ યથાર્થ હૃદયગત રાખે છે–આ અમૃત વચન લખી શકે. આવી શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિને પામેલા શ્રીમદ્ પરમ શાંત સુધારસના આવા પરમાર્થ અમૃતાનુભવને અનુભવનારા શાંતસુધારસજલનિધિ હતા, એટલે જ આવા અમૃત પુરુષની અમૃતવાણીમાં સર્વત્ર અક્ષરે અક્ષરે પદે પદે પરમ શાંતસુધારસની રેલછેલ ચાલી હોય એમાં આશ્ચર્ય શું?
પ્રકરણ તેરમું સાંકડી સ્થિતિમાં સૌભાગ્યનું સ્થિરીકરણ પરમાર્થસખા સૌભાગ્યને જ અરસામાં શ્રીમદ્દ સાથે પરમાર્થ સંબંધ બંધાયે, લગભગ તે અરસામાં સૌભાગ્યની વ્યાવહારિક સ્થિતિ ઘણું સાંકડી થઈ પડી હતી; કુટુંબાદિને આજીવિકાનિર્વાહ કેમ થશે? લોકમાં લાજ કેમ રહેશે? ઈ. પ્રકારે વ્યવહાર ચિંતા વર્તાતી હતી, અને તેથી અત્યંત આકુળવ્યાકુળ બની જઈ તેઓ શ્રીમદને તે પિતાની ચિંતા નિવેદન કરતા, તિષાદિથી ભવિષ્ય શું છે? એ જાણવા માટે આતુરતાથી પૃચ્છા કરતા, એટલું જ નહિં પણ વિદ્યા–સિદ્ધિ-મંત્રાદિથી કે બીજા કેઈ વ્યવહાર ઉપાયથી પિતાની તે ચિંતા દૂર કરવા માટે શ્રીમદને વારંવાર વિજ્ઞપ્તિ કરતા. પરંતુ મેરુ સમા અડેલ શ્રીમદ્ આ પરમાર્થ સખાની વ્યવહારચિંતા પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ (Sympathy) ધરાવતા છતાં, ધીરજથી સમતાથી ઉદયવેદન કરવાનું અંતઃકરણપૂર્વકનું આશ્વાસન આપતા છતાં, જ્ઞાની પ્રત્યે સકામપણાથી–નિદાનબુદ્ધિથી આત્માનું પતન ન થવા દેવાને નિર્મલ બોધ આપી, સૌભાગ્યને પડવા નહિ દેતાં સન્માર્ગમાં સ્થિર કરતા, પરમાર્થીમિત્રને પડતાં ધારી રાખી ખરેખરૂં પરમાર્થીમિત્રપણું બજાવતા, પરમાર્થ શિષ્યને સાચું દિશાદર્શન કરી સાચું પરમાર્થગુરુપણું દાખવતા; એટલું જ નહિ પણ વિદ્યા-સિદ્ધિ-મંત્રાદિગથી કામ કરી આપવાની તેમની કામનાને ખુલે ખુલ્લે નકાર કરી પિતે પણ પરમ નિષ્કામ જ્ઞાનીની પ્રણાલિકામાં અત્યંત સ્થિર રહ્યા હતા. આવા પરમાર્થગુરુ શ્રીમદે સાંકડી સ્થિતિમાં સૌભાગ્યનું કેવું સ્થિરીકરણ કર્યું હતું તે આ પ્રકરણમાં વિચારશું.
સૌભાગ્યભાઈ જ્યારે જ્યારે પોતાની વ્યવહારચિંતા બાબત શ્રીમદને જણાવતા, ત્યારે ત્યારે શ્રીમદ્દ તેમને વ્યવહારચિંતાની અકળામણ નહિં રાખવાનું, સમતા-ધીરજ ધરી નિરાકુલ રહેવાનું વારંવાર આશ્વાસન આપતા–“જે ચિંતાના ઉપદ્રવે તમે મુંઝાઓ છે, તે ચિંતાઉપદ્રવ કે શત્રુ નથી. (અં. ૪૪૩). સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશે નહીં, ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. (અં. ૪૬૧). વ્યવહારચિંતાથી