SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારસ : શાંતસુધારસજલિનિધ શ્રીમની આત્માની અમૃતાનુભૂતિ ૪૫ વેદનપણે આત્મા જાણ્યા છે તે જ્ઞાનીપુરુષની આજ્ઞાએ તે કલ્યાણુરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાના અત્યંત સુગમ ઉપાય થાય છે.' અર્થાત્ જ્ઞાનીની આજ્ઞા (ગુરુગમ) વિના અજ્ઞાની સુધારસની સ્થિરતા કરે બીજજ્ઞાનનું ધ્યાન ધરે પણ તે અજ્ઞાનપણે તેને કલ્યાણુરૂપ થતુ નથી; પણ આત્મજ્ઞાની અમૃતાનુભૂતિ પામેલા જ્ઞાનીની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આ આજ્ઞાથી-સદ્ગુરુ થકી ગુરુગમથી પ્રાપ્ત આ સુધારસની પ્રક્રિયા આત્મા પ્રગટ થવાના અત્યંત સુગમ’–અતિ અતિ સરલ ઉપાય થાય છે. એમ પરમ રહસ્યભૂત અપૂર્વ વાત ચેાગીશ્વર શ્રીમદેડાંડી ઢાકીને અત્ર ઉઘાષી છે; આ આજ્ઞા સદ્ગુરુ થકી પ્રાપ્ત ગુરુગમ એ જ આત્મા પ્રાપ્ત કરવાની રહસ્યચાવી ( Master−key ) આ પરમ ગુરુએ અત્ર ખતાવી છે. ચાવી વિના તાળાં ખેાલવા ગમે તેટલી મહેનત કરે હથેાડા મારે તાય તાળા ન ઉઘડે ને ભાંગી જાય, પણ ચાવી મળે તે તેવા હજાર તાળા સુગમતાથી ઉધડી જાય; તેમ ભાવગુરુગમ વિના આત્મા પામવા ગમે તેટલી મહેનત કરે તેાય પમાય નહિ' ને મહેનત નિષ્ફળ જાય, પણ ગુરુગમરૂપ સુગમ રહસ્યચાવી મળે તેા હજારા જીવાના અંતર્ના તાળાં સુગમતાથી ઉઘડી જાય ને આત્મા પ્રગટ પ્રાપ્ત થાય. આવી અપૂર્વ રહસ્યચાવી જેવી અપૂર્વ વાત માનીશ્વર શ્રીમદે અત્ર પ્રકાશી છે. અને તેવી એક બીજી અપૂર્વ વાત પણ અત્ર યાગીશ્વર શ્રીમદ્દે આ પરમાસખા સૌભાગ્ય પરના આ અમૃતપત્રના આ અમૃત શબ્દોમાં પ્રકાશી છે - ‘એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુએ વિશેષપણે રહી હેાય તે તે વસ્તુ તેની સુગંધને (!) વિશેષ આધ કરે છે. જે વૃક્ષ ચ ંદનથી વિશેષ સમીપ હેાય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્ફુરે છે. જેમ જેમ આધેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગ'ધ મંદપરિણામને ભજે છે; અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષાનું વન આવે છે; અર્થાત્ ચંદન પછી તે સુગધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાંસુધી તેને ચંદનવૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુના સંબંધ છે, તેમાં તેની છાયા (!) રૂપ સુગધ વિશેષ પડે છે; જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ(!)ના ધ્યાન કરવા ચેાગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા ચેાગ્ય છે.’ અત્રે આત્માને ચંદનવૃક્ષની ઉપમા આપી આ સુધારસના ભાવ શ્રીમદ્દે અપૂર્વ પણે સમજાવ્યે છે. ચંદનવૃક્ષની પાસે જે વૃક્ષ હોય તેમાં તેની સુગંધ વિશેષ હાય, જે વૃક્ષ દૂર હાય તેમાં ઓછી હાય અને જે ઘણું દૂર હોય તેમાં ન હેાય; તેમ આત્મારૂપ ચંદનવૃક્ષની નિકટમાં જે જે વસ્તુ હેાય તેમાં તેની છાયારૂપ સુગંધ-વાસના વિશેષ હાય, દૂર હાય તેમાં એછી હાય અને અતિદૂર હાય તેમાં તે ન હેાય, એ સરળતાથી સમજાય છે. અર્થાત્ જ્યાંલગી આત્મા ‘વિભાવ પરિણામને’—આત્માના સ્વભાવથી વિરુદ્ધ વિશેષ વિકારપરિણામને ભજે છે ત્યાંસુધી તેને ચ ંદનવૃક્ષ સમાન અત્ર કહ્યો, તેથી જે ૫૫૯
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy