SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર ધ્યાન ઉપાય થાય છે, કે જેથી આત્મપ્રદેશસ્થિરતા અને પરિણામસ્થિરતા થાય છે; અને મુમુક્ષુને જે આ જ્ઞાન તેવા આત્મજ્ઞાની અમૃતાનુભવી જ્ઞાનીએ બતાવ્યું હોય તો તેને અનુક્રમે લક્ષણાદિને બે સુગમપણે થાય છે—અનુક્રમે આત્મજ્ઞાનનું–અમૃતાનુભૂતિનું કારણ થાય છે. આમ જ્ઞાનીને અને મુમુક્ષુને બન્નેને પિતપતાની કક્ષા પ્રમાણે-દશા પ્રમાણે તે ઉપકારી થાય છે. આ સુધારસ કોઈ અપૂર્વ કારણરૂપ અપૂર્વ વાત છે એમ નિશ્ચય રાખવા શ્રીમદ્દ અત્ર સૌભાગ્યને સ્પષ્ટ જણાવે છે–“મુખરસ અને તેનું ઉત્પત્તિક્ષેત્ર એ કઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો.' તે નિશ્ચય રાખવા ખાસ સૌભાગ્યને શા માટે જણાવ્યું છે?—“જ્ઞાની પુરુષને તે પછીને જે માર્ગ તે ન દુભાય એ તમને પ્રસંગ થયો છે, તેથી તે નિશ્ચય રાખવા જણાવ્યું છે.' અર્થાત સુધારસની પ્રાપ્તિ પછીને જ્ઞાનને જે આજ્ઞારૂપ માર્ગ તે ન દુભાય એવી આજ્ઞાંકિતપણારૂપ દશા સૌભાગ્યને પ્રાપ્ત છે, એટલે તે સુધારસની–અમૃતાનુભૂતિની પ્રાપ્તિ માટે ઉત્તમ અધિકારી છે, તેથી તેમને તે નિશ્ચય રાખવા જણાવ્યું છે. અને “તે પછીને માર્ગ જે દુભાતો હોય અને તેને વિષે કેઈને અપૂર્વ કારણરૂપ નિશ્ચય થયું હોય તો તે કઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યે જ ઉપાયરૂપ થાય છે, એ અમારા આત્મામાં લક્ષ રહે છે. અર્થાત એ કઈ મુમુક્ષુ હોય કે જેને તે પછીને સુધારસપ્રાપ્તિ પછીને જ્ઞાનીને આજ્ઞારૂપ માર્ગ દુભાતો હોય એવી કંઈપણ સ્વછંદ દશા હોય, છતાં આ મને અપૂર્વ કારણરૂપ થશે એ તે સુધારસને વિષે નિશ્ચય થયો હોય, તે તેને તે પિતાને નિશ્ચય ફેરવ્યે જ તે ઉપાયરૂપ થાય છે, એટલે કે સ્વછંદ છેડી જ્ઞાનીને આજ્ઞારૂપ માર્ગ ન દુભાય એવા આજ્ઞાંકિતપણામાં આવ્યું જ તે સુધારસ અમૃતાનુભૂતિરૂ૫ અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ માટે અપૂર્વ કારણરૂપ થાય છે. એ આજ્ઞારૂપ માર્ગને મર્મ શ્રીમદે અત્ર માર્મિકપણે પ્રકાશ્યો છે. આ આજ્ઞાની જ પરમ ઉપકારિતા અત્રે આગળ પવનરોધનની વાતથી સ્પષ્ટ સમજાવતાં શ્રીમદ્ પ્રકાશે છે–એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ ધનથી તેને કલ્યાણને હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસને રોધ કરે છે, તે તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે.” અર્થાત્ એક અજ્ઞાની આજ્ઞા વિના અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે તેને કલ્યાણકારણ થતું નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક તેમ કરે છે તેને તે સ્થિરતા આત્મા પ્રગટવાનો હેતુ થાય છે. “શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેને સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે. અર્થાત્ શ્વાસોચ્છવાસના રોધનરૂપ પ્રાણાયામની કઠિન ગપ્રક્રિયા કરતાં આ સુધારસની સુગમ ગપ્રક્રિયાનું સ્થાન ઘણું ઉંચું છે, અને તેથી વિશેષ સ્થિરતા થાય છે. “પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલે વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy