SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારસ: શાંતસુધારસ જલનિધિ શ્રીમદની આત્માની અમૃતાનુભૂતિ ક૬૩ અનંતર પરંપરસંબંધે મેક્ષને ઉપાય છે. વ્યવહાર–પરમાર્થ સ્વરૂપ તે ઘણા કાળે કઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાને ઉપાય છે. વ્યવહાર-વ્યવહાર સ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું.” આમ અત્રે આ ચાર પ્રકારરૂપ ચભંગી દર્શાવી શ્રીમદે આ પરમ ગૂઢ રહસ્યભૂત વાર્તા પરત્વે પૂર્વે અત્યારસુધીમાં પ્રાયે કોઈએ ન નાંખ્યો હોય એ અપૂર્વ પ્રકાશ નાંખે છે. તેને સારભૂત પરમાર્થ આશય એ છે કે-(૧) આત્માની અમૃતાનુભૂતિને પામેલા આત્મજ્ઞાની જ્ઞાનીએ એ સુધારસનું જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ જ્યાં પૂર્વાપર–આગળ પાછળ પ્રધાન છે એવું પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ છે. (૨) તેવા જ્ઞાનીએ તે જ્ઞાન ન આપ્યું હોય પણ તેવા જ્ઞાનીને સન્માર્ગ સન્મુખ આકર્ષના સતઉપદેશ જીવને રુચ્યું હોય તે તેનું જ્ઞાન તે પરમાર્થ જ્યાં પ્રધાન છે ને વ્યવહાર ગૌણ છે એવું પરમાર્થ વ્યવહારસ્વરૂપ છે. (૩) આત્માની અમૃતાનુભૂતિને જે પામેલ નથી પણ આ સુધારસને જ જે આત્મા જાણે છે, એવા કેઈ સુધારસરે તે સુધારસનું જ્ઞાન આપ્યું હોય તો તે વ્યવહાર જ્યાં પ્રધાન છે ને પરમાર્થ ગૌણ છે એવું વ્યવહારપરમાર્થ. સ્વરૂપ છે. (૪) અને આ સાક્ષાત્ પ્રત્યક્ષ અમૃતાનુભૂતિને કે સુધારસને અનુભવ જેને નથી એવા પક્ષ શાસ્ત્રાદિ જાણનાર શાસ્ત્રજ્ઞાની સામાન્ય પ્રકારે જે માર્ગાનુસારી જેવો ઉપદેશ કરે તે શ્રદ્ધવામાં આવે, તે વ્યવહાર પૂર્વાપર આગળ પાછળ પ્રધાન છે એવે વ્યવહારવ્યવહાર સ્વરૂપ છે. એમ ભંગીરૂપ સ્પષ્ટ ચાર પ્રકાર ફલિત થાય છે. તેમાં પ્રથમ પ્રકાર–પરમાર્થ પરમાર્થ સ્વરૂપ તે નિકટ મોક્ષને ઉપાય છે; બીજે પ્રકાર પરમાર્થ–વ્યવહારસ્વરૂપ તે અનંતર-તાત્કાલિક પરંપર–પરંપરાએ મોક્ષને ઉપાય છે; ત્રીજે પ્રકાર-વ્યવહારપરમાર્થ સ્વરૂપ તે ઘણા કાળ-લાંબા ગાળે કઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાને ઉપાય છે, અર્થાત્ તે પોતે સાક્ષાત્ મોક્ષને ઉપાય થતું નથી, પણ તે એવી તથારૂપ ગ્યતાનો કારણભૂત થાય છે કે જેથી મોક્ષના સાધન મળી આવે, એટલે તે મેક્ષનાં સાધનને કારણભૂત થઈ આડકતરી રીતે લાંબા ગાળે મોક્ષને ઉપાય થાય છે અને ચોથો પ્રકાર વ્યવહારવ્યવહારસ્વરૂપ તેનું આત્મપ્રત્યયીઆત્મા સબંધી ફલ સંભવતું નથી. આમ ફલઅપેક્ષાએ આ ચાર પ્રકારનો પ્રધાનતા પ્રમાણે પૂર્વાનુપૂર્વ અનુક્રમ છે. આવા અદ્દભુત આશયની આ પરમ રહસ્યભૂત વાત્ત શ્રીમદે અત્ર સંક્ષેપમાં પ્રકાશી છે. આની વિશેષ વિચારણા કરતાં આ સુધારસની ઉપયોગિતા કોને ને શી શી રીતે થાય છે? તે પણ અત્રે આ બે પ્રકારમાં, આત્માની પરમ અમૃતાનુભૂતિને પામેલા શ્રીમદે દર્શાવી દીધું છે– (૧) લક્ષણથી ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનનો એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. (૨) લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મ સ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષને જ્ઞાનીપુરુષે બતાવેલું જે આ જ્ઞાન હોય તે તેને અનુક્રમે લક્ષણાદિને બોધ સુગમપણે થાય છે. અર્થાત્ આ સુધારસનું જ્ઞાન આત્માની અમૃતાનુભૂતિને પામેલા આત્મજ્ઞાની જ્ઞાનીને
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy