SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અધ્યાત્મ રાજથક 6 ધન્ય દિને પ્રાદુર્ભાવ પામ્યા, તે ધન્ય દિન કાળતી બની ગયા; રાજ-કલ્પતરુના જન્મથી કલ્પનાતીત માહાત્મ્યને પામેલું ગ્રામ · વવાણીઆ * ક્ષેત્રતી બની ગયું; રાજપારસમણિના સ્પર્શીથી જે જે દ્રવ્ય સ્પર્શાયું તે તે મન-વચન-કાયયેાગરૂપ દ્રવ્ય દ્રવ્યતી બની ગયું; રાજ-ભાવચિંતામણિના સ્પ`થી જે જે ભાવ સ્પોંચે તે તે ભાવતી બની ગયા. આનંદઘનજીના અમર શબ્દોમાં (મથાળે ટાંકેલા) કહિયે તે નિમલ ગુણમણિના રાહણાચલ ને મુનિજનના માનસસ એવા પરમ સત્પુરુષ જ્યાં જન્મે છે તે નગરીને–ગ્રામને ધન્ય છે! તે ઘડી--વેળાને ધન્ય છે! તે માત-પિતાને ધન્ય છે! તે કુલ-વંશને ધન્ય છે ! ધન્ય તે દેશ સૌરાષ્ટ્ર ! ધન્ય ભારતભૂમિ આ ! રાજ કલ્પતરુ જન્મે, ધન્ય ગ્રામ વવાણિઆ ! ધન્ય તે શબ્દજિત્ તાત ! ધન્ય તે માત દેવકી ! ચેાવીશ એગણીસેના, પૂર્ણિમા ધન્ય કાર્ત્તિકી !—(સ્વરચિત.) આમ વવાણી જેવું નાનું ગામડું ઇતિહાસપ્રસિદ્ધ પવિત્ર તીર્થં ધામ બન્યું. તેમાં એક નાનું સરખું નિમિત્ત ભૂમિનું ભાગ્ય પલટાવવાને કેવું નિમિત્તભૂત બને છે તેનું આ ઝળહળતું ઉદાહરણ પૂરૂ પાડે છે. વાત એમ બની કે શ્રીમના વડવાપ્રપિતામહ દામજી પીતામ્બર મૂળ તે મેારખી તામે મેારખીથી સાત ગાઉ દૂર આવેલા માણેકવાડા ઞામે રહેતા. જ્ઞાતિએ દશાશ્રીમાળી વણિક્ શ્રી દામજીભાઈ ને કુલધમ સ્થાનકવાસી જૈન શ્વેતાંબર સંપ્રદાય હતેા. તેમનું કુટુંબ ખાનદાન અને સ્થિતિસંપન્ન હતું. તેમની સ`પત્તિ એટલી પુષ્કળ હતી કે તેમના પુત્રામાં તેના ભાગ ગણત્રીથી નહિં પણ ત્રાંસળીથી (મેટા વાટકાથી) પાડ્યા હતા. ત્યારે તેમના પાંચ પુત્રામાં વચલા પુત્ર પંચાણુભાઈ ને પુત્રસંતતિ નહિં હાવાથી ભાઇભાગની વ્હેંચણીમાં તેમના ભાગ એછે આબ્યા,—જેથી તેમને એછું આવ્યું, માઠું લાગ્યું ને તે ખાપદાદાનું વતન માણેકવાડા છેડી વવાણીઆ ચાલ્યા આવ્યા. અને આમ વવાણીઆ ગ્રામ શ્રીમદ્નના પિતામહુ પંચાણુભાનું વતન ખનતાં તે અનુક્રમે કાળક્રમેં શ્રીમદ્ભુનું જન્મધામ બનવાનું મહા” ભાગ્ય પામ્યું. પુણ્યવતના જ્યાં પગલાં પડે છે ત્યાં ઈતિ-ભીતિ નાશ પામે છે, * આ વવાણીઆન પ્રતિહાસ અંગે શ્રીમદ્ના એક વિશિષ્ટ ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈ કિરથ કે ‘ જીવનરેખા 'માં નોંધ્યું છે — “ વવાણી દ્રોણમુખ કહેવાય છે. તરી અને ખુશ્કી અર્થાત્ જળ અને વેપાર થઈ શકે તે ‘ દ્રોણમુખ ' કહેવાય છે. વવાણીઆ બંદરના જમીનના કાંઠા છે. વચ્ચમાં કચ્છના અખાતની ખાડી છે, સામે કાંઠે કચ્છની હદ છે. ખાડીની કરે છે. સામે કાંઠે જમીન પર પણ મેરખીની કેટલીક હકુમત છે. ખાડીના પાણીની માલીકી માટે કચ્છમારખીને વારંવાર તકરાર થતી, ધીંગાણાં થતાં, વેપારને અટકાયત થઈ વેપાર પડી ભાંગતા. પણ શ્રીમદ્ માતાની કુક્ષિએ વ્યવ્યા તે અરસામાં સુલે થઈ અને સવત ૧૯૨૩ના મહા-ફાગણ માસમાં બંદર પાછું સતેજ થઇ વેપાર ધમધોકાર ચાલવા માંડયા. આવું ત્યાંની હકીક્તથી તથા તે વખતનાં ઇતિહાસથી જણાય છે. 'શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા, '' સ્થળ બન્ને વાટે જ્યાં ઉપર મેરખીની હકુમત માલીકીને દાવેા કચ્છ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy