SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પહેલું દિવ્ય જ્યોતિનો પ્રાદુર્ભાવ “નિર્મલ ગુણમણિ રહણ ભૂધરા, મુનિજન માનસ હંસ ધન્ય તે નગરી રે! ધન્ય વેળા ઘડી! માત પિતા કુલ વંશ.” -શ્રીઆનંદઘનજી કાર્તિકી પૂર્ણિમા, ૧૯૨૪! આજના પુણ્ય દિને ભારતના ગગનાંગણમાં એક દિવ્ય જ્યોતિને પ્રાદુર્ભાવ થયે. આજના મંગલ દિને મહાદિવ્યા દેવબાઈના કુક્ષિરત્નને –રાજચંદ્રને જન્મ થયે. આજના ધન્ય દિને રવજી પંચાણુની એકોતેર પેઢીને તારનારે “શબ્દજિતવરાત્મજ’–રવજીભાઈને કુલદીપક પ્રગટયો. આજના પાવન દિને સંતભૂમિ સૌરાષ્ટ્રના એક ખૂણે આવેલું નાનકડું ગામડું વવાણઆ પરમ પાવન તીર્થધામ બન્યું. કાર્તિકી પૂર્ણિમાને આ પુણ્ય દિન વિશ્વની વિરલ વિભૂતિઓના નામસંપર્કથી જાણે પાવન બનવાને સર્જાયે છે ! ઇતિહાસપ્રસિદ્ધ અનેક વિરલ વિભૂતિઓએ પોતાના જન્મથી આ દિનને ધન્ય બનાવ્યો છે. જે પુણ્ય દિને શ્રીમદ્ રાજચંદ્ર જેવી દિવ્ય આત્મતિનો પ્રાદુર્ભાવ થયો, તે જ પુણ્ય દિને મહાપ્રભાવક “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીનો પણ જન્મ થયો હત; શિખધર્મસંસ્થાપક ગુરુ નાનકનો જન્મ પણ આ જ પુણ્ય દિને થયું હતું; દ્રાવિડ અને વાલિખિલ્લ આદિ અનેક પુરાણપ્રસિદ્ધ દિવ્ય આત્માઓ આજના પુણ્યદિને સિદ્ધાચલ પર અનુપમ સિદ્ધગતિ વર્યા હતા. આમ અનેક પુણ્યક પુરુષોના નામ-પારસમણિના સ્પર્શથી આજ દિન પુણ્ય બન્યું છે. સતપુરુષે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે વિચરે છે તે તે કાળ અને તે તે ક્ષેત્ર પણ ધન્ય બને છે; સંતની ચરણરેણુથી જે અવનિ પાવન બને છે, તે તે અવનિ પણ સાચા ગુણાનુરાગી ભક્તજનને મન પાવન તીર્થ બની જાય છે. એવા જગપાવનકર જ્યાં અવતરે છે તે ભૂમિ ધન્ય બને છે, તે કાળ ધન્ય બને છે. એટલે જ જગતનું પરમ કલ્યાણ કરનારા તીર્થકર જેવી પરમ વિભૂતિઓના જીવનના જન્મઆદિ વિશિષ્ટ પ્રસંગો તે “કલ્યાણક” દિન તરિકે સુપ્રસિદ્ધ છે; આવી વિભૂતિઓ જે જે કાળને સ્પર્શે છે તે તે તે પુનિત વિભૂતિની સ્મૃતિના અનુસંધાનથી કાળતીર્થ બને છે, જે જે ક્ષેત્રને સ્પર્શે છે તે તે ક્ષેત્રતીર્થ બને છે, જે જે દ્રવ્યને સ્પર્શે છે, તે તે દ્રવ્યતીર્થ બને છે, અને જે જે ભાવને સ્પર્શે છે તે તે ભાવતીર્થ બને છે. અને એટલે જ આવા વિશ્વકલ્યાણકર તીર્થંકરના વિશ્વકલ્યાણુકર માર્ગને યથાર્થ બધ કરનારે, સનાતન આત્મધર્મરૂપ-વિશ્વધર્મરૂપ “સત્ય ધર્મને ઉદ્ધાર કરનાર શ્રીમદ રાજચંદ્ર જે દિવ્ય તિર્મય પુણ્યશ્લોક પુરુષ જે કાર્તિકી પૂર્ણિમાના
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy