________________
४५६
અધ્યાત્મ રાજદ્ર (અં. ૩૨૨) શ્રીમદ્ પિતાની તેવી ઈચ્છા છે પણ તે હાલ ઉદયકાળ નથી અને ઉદીરણું બની શકે એવી દશા નથી એમ જણાવતાં લખે છે—જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું છે તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કઈ પ્રકારે રહે પણ છે. તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તે ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તે તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.” પોતાની તે માટેની ઈચ્છા અને ત્યાગની પણ ઇચ્છા પૂરેપૂરી છે પણ હાલ થતો નથી-ઉદયાધીન પણાથી સંભવ નથી એમ બીજા પત્રમાં (અં. ૩૩૪) સૌભાગ્યને જણાવે છે–ત્યાગને ઈચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઈચ્છાને અનુસરત કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.” આમ પ્રભાવનાની અને તે અર્થેના ત્યાગની પૂર્ણ ઈચ્છાપૂર્ણ ભાવના છતાં હાલ તત્કાલ બનવા પામતું નથી, એમ નિખાલસભાવે સ્વચ્છ હદયે શ્રીમદ પિતાની અંતરસ્થિતિ આ પરમાર્થ– સુહને જણાવતા.
પણ આ માર્ગ પ્રભાવનાના કાર્યમાં થતી ઢીલને સૌભાગ્ય ને ડુંગર એ પરમાર્થસુહદુની બેલડીને ખેદ થતો ને તે શ્રીમદ્દ પ્રત્યેના પત્રમાં (૧૫૦, શ્રા. વ. ૧૦) સૌભાગ્ય જણાવે છે– ડુંગર ગો. ૪ ૪ તેના મનમાં આપની તરફથી કેટલીક વાતને મનમાં ખેદ વેદ્યા કરે છે. તે કહે છે કે આવા પ્રતાપી પુરુષ અને તેને જગતને કાંઈ પ્રભાવ જેવામાં આવે નહીં, એ એક આશ્ચર્ય જેવું છે.” તેના ઉત્તરપત્રમાં (અં. પર૦ સં. ૧૫૦ ગ્રા. વ. ૦))) શ્રીમદ્દ તેઓના કરતાં પોતાને થતા અસંખ્યાતગણ ખેદનું આત્મસંવેદન વ્યક્ત કરે છે–
“શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કઈ રીતે યોગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ અને એ પ્રકારને ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમે સૌને એ ખેદ દૂર કરાય તે સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે અત્યંત બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણા ઘણા પ્રસંગે
સ્ફર્યા કરે છે, અને તેને ઉપશમાવવાનું કરવું પડે છે, અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણ ગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણવવાથી, પ્રસંગથી જવવાનું થયું છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણુવિશિષ્ટ ખેદ રહેતા હશે એમ લાગે છે. કારણકે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે અને જીવને નિત્યસ્વભાવ હોવાથી જીવ આ ખેદ રાખતાં છતાં જીવે છે, એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. વળી પરિણમાંતર થઈ થડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશ પ્રદેશે સ્લરી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દષ્ટિ કરી તે પ્રકારને હાલ તે ઉપશમાવવો જ ઘટે છે, એમ જાણી ઉપ