SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ અધ્યાત્મ રાજચંદ્ર અમુક પણામાં લક્ષ રહ્યા કરે છે.' ઇ.—અત્રે વાસ્તવિક રીતે તેા પરમ નિર્દોષ ગુણધામ શ્રીમમાં અંદેશાનું કંઈ પણ કારણ છે જ નહિં અને શ્રીમના અંતમાં તે પૂરેપૂરો ભાવનિમથ બેઠા જ છે, છતાં મૂઢ મહિષ્ટિ જના તે સમજી શકે નહિ. ને જ્ઞાનીને અંગે મિથ્યા કલ્પના કરે; અને બળવાન્ નિ થ પુરુષ જેવા ઉપદેશ દેવા પરમ સમથ છતાં શ્રીમને જ્ઞાનીના માર્ગના વિરોધ થાય એ પેાષાય નહિં, એટલે જ આમંત્રણ અપાયેલ સ્થળે જવાનું માંડી વાળી શ્રીમદ્ આ પત્રના મથાળે મૂકેલ માર્મિક વચન પ્રમાણે અત્ર સત્ર ‘આત્મવીય પ્રવર્તાવવામાં અને સકેાચવામાં અહુ વિચાર કરી’ પ્રવર્તો છે. એ કાં જેવા તેવા આત્મસંયમ નથી. આવા જ ભાવ એક બીજા પત્રમાં (અ. ૫૧૨) પણ શ્રીમદ્દે દર્શાવ્યેા છે. તથાપિ તમારી તરફ આવવાથી લેાકેાના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવુ' મુશ્કેલ છે. લેાકેાના પરિચયમાં આવા પ્રસ`ગ રહ્યા છતાં ધમ પ્રસ ંગે આવવુ થાય તે વિશેષ અંદેશાયેાગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધપ્રસગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે.’ અને સૌભાગ્ય પરના પત્રમાં (અ’. ૪૬૩, ૧૯૪૯ શ્રા. સુદ ૧૫) પણ શ્રીસદ્ તેમજ લખે છે—ઘણું કરીને આત્મામાં એમજ રહ્યા કરે છે કે જ્યાંસુધી આ વેપારપ્રસ`ગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાંસુધી ધર્મકથાદિ પ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કાઇ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયેાગ્ય પ્રકાર છે. વેપારપ્રસંગે રહેતાં છતાં જેને ભક્તિભાવ રહ્યા કર્યાં છે, તેના પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવા ચેાગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલા પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને ખાધ ન થાય.' ઇ. અને એટલે જ સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયવાળા શ્રીમદ્ન પૂર્ણ નિખાલસ ભાવે વારવાર પત્રોમાં પેાતે ગુપ્ત રહેવાની અંતરેચ્છા પ્રગટ કરે છે અને પરિચયી સત્સંગી મુમુક્ષુઓને પણ પેાતાને પ્રગટ નહિ કરવાની વારંવાર પ્રગટ ખુલ્લા ચેાખા શબ્દોમાં છે કે આ આત્મા ભારપૂર્વક ભલામણ કરે છે—તમને બધાને ભલામણુ સ'મધે બીજા પ્રત્યે કઈ વાતચીત કરવી નહીં. (અ. ૧૮૧). બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કઈ હવે કાઈ ને કહેશે। નહિં. ઉયકાળ તમે જાણ્ણા છે. (અ. ૨૧૨). તથાપિ બીજા મનુષ્યેામાં એ વાતથી અમારૂ પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાથે અમુક મનુષ્યા જાય છે, જે જેમ બને તેમ એછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબ'ધરૂપ થાય છે. (અ'. ૩૦૦). 'તરગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી ખાદ્યપ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે ચાગ્ય છે. તે ગુપ્તપણુ માયાકપટ નથી; કારણકે તેમ વવા વિષે માયાકપટના હેતુ નથી; તેના ભવિષ્યકલ્યાણના હેતુ છે, જે તેમ હેાય તે માયાકપટ ન હેાય એમ જાણીએ છીએ. (અ. ૩૯૭). એક વિનતિ અત્રે કરવા યાગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હાય, અને તેથી અ'તરમાં ભક્તિ રહેતી હાય તા તે ભક્તિ વિષે યથાયેાગ્ય વિચાર. કરી જેમ તમને યાગ્ય લાગે તેમ કરવા ચેાગ્ય છે; પણ બહાર આ માત્મા સંબધી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy