SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પરમા મા પ્રકાશની ગૌણતા અને સ્વરૂપશુપ્ત શ્રીમની ગુપ્તતા ૪૫૩ : વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અગીકૃત કરી છે; અર્થાત્ પરમા` સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવા ઉય કાળ છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે; નહી' તે એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે.' ઉપદેશમાં સક્ષેપતાથી જ્ઞાની શા માટે તે ? મૌન રહે ? તે માટે ઘણાજ માર્મિક રહસ્યભૂત ખુલાસા કરતા શ્રીમદ્ પત્રમાં (અ. (૭૭) લખે છે... આત્માને વાસ્તવ્યપણે ઉપકારભૂત એવા ઉપદેશ કરવામાં જ્ઞાનીપુરુષા સંક્ષેપતાથી વતે` નહીં, એમ ઘણું કરીને બનવા ચાગ્ય છે, તથાપિ એ કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાનીપુરુષા વતે છે : (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સચેાગેાને વિષે તે જિજ્ઞાસુ જીવ વતા ન હેાય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યે` પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યેાગ્યપણુ ન હાય, તેા જ્ઞાનીપુરુષ તે જીવાને ઉપદેશ કરવામાં સક્ષેપપણે પણ વતે છે; (૨) અથવા પેાતાને માહ્ય વ્યવહાર એવા ઉચરૂપે હાય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વતી મુખ્યમાને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હાય તાપણુ જ્ઞાનીપુરુષા સ ંક્ષેપણે ઉપદેશમાં પ્રવતે અથવા મૌન રહે.'—આ નિષ્કુ ખુલ્લેખુલ્લા ખુલાસામાં પરમા મૌન ખા.ને પૂરા ખુલાસા મળી જાય છે, એટલું જ નહિં પણ પરમ નિષ્કારણકારસસાગર યથાર્થનામાં પર્મકૃપાળુ દેવ’શ્રીમની જગજ્જવાના પૂર્વાપર કલ્યાણુની કેવી કરુણાદષ્ટિ સદાદિત છે અને જ્ઞાનીના માર્ગની સનાતન પ્રણાલિકાને વિરોધ ન આવે એવી રીતે પ્રવર્ત્તવાની કેવી કલ્યાણદૃષ્ટિ અખંડ જાગૃત છે, તે પણ સ્વયં દેખાઇ આવે છે. અહા જ્ઞાનીની નિષ્કારણુ કરુણા ! અહા જ્ઞાનીના માર્ગની અખંડિત પ્રણાલિકા ! એટલે જ જેમ બને તેમ ગુપ્ત રહેવા માગતા ને પ્રસિદ્ધિમાં નહિ આવવા ઇચ્છતા પરમ નિસ્પૃહ-પરમ નિરીહ શ્રીમદ્ જાહેર પ્રસ`ગમાં પણ આવતા નહિં, અને જેમ અને તેમ તેવા પ્રસ`ગ ટાળતા. તેને ઉત્તમ નમૂના તેમના આ પત્રમાં (અ. ૧૮૨) પ્રાપ્ત થાય છે. આત્મવીય પ્રવર્તાવવામાં અને સકેચવામાં બહુ વિચાર કરી પ્રવત્તવું ઘટે છે' એ પરમ અંગભીર માર્મિક મથાળુ' અત્ર મૂકી શ્રીમદ્ લખે છે— તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લેાકેાને અદેશેા પડે એવી જાતને આદ્ય વ્યવહારના ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે ખળવાન નિંથ પુરુષ જેવા ઉપદેશ કરવા તે, માને વિરોધ કરવા જેવુ' છે; અને એમ જાણીને તથા તેના જેવાં બીજા કારણાનું સ્વરૂપ વિચારી ઘણુ કરીને લેાકેાને અદેશાના હેતુ થાય તેવા પ્રસંગમાં મારૂં આવવુ થતું નથી. વખતે કયારેક કોઈ સમાગમમાં આવે છે, અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી. પૂવે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારના ઉદય પ્રાપ્ત થયા છે, જેથી ઘણી વાર ચિત્તમાં શૈાચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેઢવુ. ઘટે છે એમ જાણી, ઘણુ' કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy