________________
પરમાર્થમાર્ગ પ્રકાશની ગૌણતા અને સ્વરૂપગુમ શ્રીમદની ગુપ્તતા ૪૫૧ જોઈતું નથી, તે બધા મુમુક્ષુ છે. સાચાને કેટલીક રીતે ઓળખે છે, તે પણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરવો મને એગ્ય નથી લાગતો.” તેમજ તે પછીના પત્રમાં (અં. ૨૦૬) પણ લખે છે–પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આ સર્વ મહાત્માઓને રિવાજ છે, અમે તે દીન માત્ર છીએ.”– પરમાર્થમાર્ગ પ્રકાશ અંગે જે થવાનું હશે તે પરમાત્માની ઈચછાને આધીન છે એમ અત્રે સ્પષ્ટ દર્શાવતા નિર્માની શ્રીમદના અહંને કે વિલેપ દશ્ય થાય છે! પરિચિત મુમુક્ષુઓના પ્રતિબંધમાં પણ હાલ આવવા ઈચ્છા નથી, એમાં પરમ નિસ્પૃહી શ્રીમદની ગુપ્તતાની કેવી તમન્ના દેખાઈ આવે છે !
શ્રીમદ્ આમ સ્પષ્ટ ઉત્તર–ખુલાસો આપતા છતાં પરમાર્થ રંગી પરમાર્થ સંગી સૌભાગ્યને શ્રીમદ્દ જેવા પરમ પરમાર્થેશ પરમ પ્રભાવક પુરુષ દ્વારા આ પરમાર્થ માર્ગપ્રકાશ શીધ્ર થાય તે માટે એટલી બધી તીવ્ર ઉત્સુકતા હતી કે તે ખુલાસો ભૂલી જતા અને શ્રીમદ્ભને પુનઃ પુનઃ સાગ્રહ પ્રેરણ કરતા, એના જવાબમાં શ્રીમદ સૌભાગ્યને પત્રમાં (અ. ૪૦૬) લખે છે–પરમાર્થ શીધ્ર પ્રકાશ પામે તેમ થવા વિષે તમ બન્નેને આગ્રહ પ્રાપ્ત થયે, તેમજ વ્યવહારચિંતા વિષે લખ્યું. ૪ ૪ હાલ તે
એ સર્વ વિસર્જન કરવારૂપ ઉદાસીનતા વતે છે, અને તે સર્વ ઈશ્વરેચ્છાધીન સેંપવા ચોગ્ય છે. હાલ એ બેય વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે.” તેમજ બીજા પત્રમાં (અં. ૨૩૦) લખે છે–એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવને ગ્યતા છે, પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. એ વિષે આગળ આપને ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસો કરેલો છે. તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છે જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. વળી આપને સમરણ રહેવા લખું કે જ્યાં સુધી ઈશ્વરેચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું? આપ તે કરુણામય છે, તથાપિ અમારી કરુણ વિષે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી?”—અત્રે બધું ઈશ્વરેચ્છાધીન–પરમાત્માની ઇચ્છાને આધીન છે અને એક તણખલાના બે ટૂકડા કરવા જેટલી સત્તા પણ અમારામાં નથી એ ભાવના પરમ નમ્રતાપૂર્ણ શબ્દમાં તે પરમ માર્દવભૂત્તિ શ્રીમદે અહંના લેપની પરમ પરાકાષ્ઠા પ્રકાશી છે, અને સર્વથા અસંગાપણાને ઈચ્છતા અમારે આ ઉદય-ઉપાધિમાં બેસવું પડયું છે એવી અમારી કરુણમય સ્થિતિ છે, એ અંગે આપ કરુણામય કેમ કરુણુ કરતા નથી અને આ રાજચંદ્રને આવી દ્વિધાભાવવાળી કરુણ સ્થિતિમાંથી મુક્ત કરવાની કરુણ કરવા પરમાત્માને કેમ સમજાવતા નથી, એવા આશયવાળા આ આર્જવભર્યા હદયદ્રાવક શબ્દોમાં તે પરમ ઋજુભૂત્તિ શ્રીમદે પરમ નિસ્પૃહભાવની અવધિ જ કરી છે.