________________
અધ્યાત્મ રાજચંદ્ર આત્માના ઉપયોગમાં જ વર્તે છે!વરૂપગુપ્ત શ્રીમદની કેવી અલૌકિક-કેવી અદ્દભુત દશા છે! આવા સ્વરૂપગુપ્ત શ્રીમદ્દ જગતથી ગુપ્ત-અપ્રસિદ્ધ રહેવા ઇચ્છે છે. એ ખરેખર! પરમ આશ્ચર્યકારક છે. પણ સ્વરૂપના ઘરમાં સુરક્ષિતપણે સુગુપ્તપણે બેસી ગયેલા સ્વરૂપગુપ્ત શ્રીમદ્દ દઢ નિશ્ચય છે કે, જ્યાં લગી ગૃહવાસઉદય છે ત્યાં લગી પ્રગટ માર્ગ ન કહે–પરમાર્થ પ્રકાશ ન કરે; અને હાલ પિતાને પરમાત્માની ઈચ્છાનુસાર –પરમાત્માના જ્ઞાનમાં દષ્ટ પ્રારબ્ધદયાધીનપણે ગૃહવાસઉદય છે, એના કારણે અંગે વ્યંગમાં શ્રીમદ્દ અત્ર માર્મિકપણે લખે છે – કારણ, પંચમ કાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે.–શ્રીમદ્દ જેવા પરમાર્થ જ્ઞાનથી પૂર્ણ પુરુષ પરમાર્થ પ્રકાશવાને પૂર્ણ સમર્થ છે,–પરમાર્થમેઘ વર્ષાવી પરમાર્થની વર્ષાઋતુ કરવા માટે પરિપૂર્ણ સમર્થ છે, પણ તેને આવા ઉદયાધીન બાહ્ય કારણને લઈ ત્યાગ કરતાં અટકી જવું પડયું છે, અને ત્યાગ નથી કર્યો ત્યાં લગી પરમાર્થ પ્રકાશ થઈ શકવાને નથી, એટલે પરમાર્થની વર્ષાઋતુ કેમ જ થાય ? એટલે જ પરમાત્મા પ્રત્યે આરેપિત ભાવે અત્રે વ્યંગમાં કહ્યું છે–પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છો લાગે છે.” આમ પરમાર્થમેઘ વર્ષાવવા પરમ સમર્થ પરમ પરમાર્થ જ્ઞાની શ્રીમદ્ ફટિક જેવા સ્વચ્છ પારદશી નિખાલસ હૃદયે પરમાર્થ સુદ સૌભાગ્યને અત્રે આ અમૃત પત્રમાં પોતાનું હૃદય દર્શાવ્યું.
અને આવા પરમ પરમાર્થજ્ઞાની શ્રીમદ્દનું આવું આ અસાધારણ આત્મસામર્થ્ય અનુભવથી સૌભાગ્યભાઈ જાણતા જ હતા, એટલે જ પછી પરમાર્થ રંગી શ્રી સૌભાગ્યભાઇ શ્રીમને વારંવાર પરમાર્થમાર્ગ પ્રકાશ માટે ભેખ લઈ નિકળી પડવાની પ્રેરણ કરતા, તેના ઉત્તરમાં શ્રીમદ્દ જણાવતા–“આપ પરમાર્થ માટે જે આકાંક્ષા રાખે છે તે ઈશ્વરેચ્છા હશે તે કેઈ અપૂર્વ વાટેથી પાર પડશે. જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થને લક્ષ મળ દુર્લભ થયા છે એ ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમ કૃપા કરશે; પરંતુ હમણું શેડો કાળ તેની ઈચ્છા હોય એમ જણાતું નથી.” (અં. ૧૯૧). હાલ તત્કાળ પરમાત્માની તેવી ઈચ્છા નથી, (તે ઉદય નથી), છતાં તે પરમકૃપાળુ તેવી પરમકૃપા કરશે, એમ અત્ર નિરહંપણે શ્રીમદે સ્પષ્ટ જણાવ્યું છે. પિતાની તે માટે પરિપૂર્ણ ઈચ્છા છે પણ ઈશ્વરેચ્છાની હજુ તેમાં સંમતિ નથી એમ જણાવતા બીજા પત્રમાં (સં. ૨૦૪) શ્રીમદ્ પિતાને પ્રગટ નહિં કરવાની–ગુપ્ત રાખવાની સાથે સાથે સ્પષ્ટ ભલામણ કરે છે–“આપને મારા પ્રત્યે પરમોલ્લાસ આવે છે, અને વારંવાર તે વિષે આપ પ્રસન્નતા પ્રગટ કરે છે; પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણકે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી; અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વરેચ્છાની હજુ તેમાં સમ્મતિ થઈ નથી, ત્યાં સુધી મારા વિષે અંતરમાં સમજી રાખજે; અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશે નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે. ખંભાત આપે પતું લખી મારું માહાસ્ય પ્રગટ કર્યું પણ તેમ હાલ થવું