________________
પ્રકરણ ઓગણસીત્તેરમું પરમાર્થમાર્ગપ્રકાશની ગૌણુતા અને સ્વરૂપગુખશ્રીમન્ની ગુપ્તતા
આમ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ અપૂર્વ આત્મધ્યાનની ધારાએ–શ્રેણીએ આહણ કરી રહેલા અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્ પિતાની આત્મસાધના પરિપૂર્ણ કરી રહ્યા હતા, અધ્યાત્મવિકાસના પંથે પરમ સંવેગથી શુદ્ધ આત્મદશામાં આગળ ધસી રહ્યા હતા, તેનું આપણે શ્રીમદની ઊર્ધ્વગામિની શુદ્ધ આત્મદશા આલેખનારા આગલા ઓગણીશ પ્રકરણમાં સવિસ્તર તાદૃશ્ય દર્શન કર્યું. આમ શ્રીમદ્દ પિતાની આત્મસાધના પૂર્ણ કરી રહ્યા હતા, પણ પરના-જગત્ના કલ્યાણાર્થે પરમાર્થમાર્ગ પ્રકાશ અંગેની શી સ્થિતિ હતી ને શ્રીમદ્દની શી ધારણું હતી? તેનું દર્શન કરવાનું હવે પ્રાપ્ત થાય છે. નિર્વિકલ્પ સમાધિના પ્રકરણમાં (૫૪) આપણે અવલોકી ગયા તેમ શ્રીમદ્દ નિર્વિકલ્પ સમાધિમાં વિલસી રહ્યા હતા. પંદર અંશે પહોંચી જવાયેલી એવી એક અંશે ન્યૂન આ પૂર્ણપ્રાય નિર્વિકલ્પ સમાધિમાં એક અંશ ન્યૂનતાનું કારણ બાહ્ય નિરુપાધિકતા નથી તે છે અને હાલ તત્કાળ પરમાર્થમાગ પ્રકાશની ગૌણુતાનું કારણ પણ આ જ છે. આ પરમાર્થ માર્ગપ્રકાશની ગૌણુતાનું અને સ્વરૂપગુપ્ત આત્મમગ્ન શ્રીમદની પિતે જગપ્રસિદ્ધિથી દૂર રહેવારૂપ ગુપ્તતાનું આ પ્રકરણમાં આલેખન કરશું.
તે નિર્વિકલ્પ સમાધિના પ્રકરણમાં વિવરી બતાવ્યું હતું તેમ શ્રીમદના પિતાને આત્મગત અંતર્ગત કારણને લઈ પૂર્ણ નિર્વિકલ્પ સમાધિમાં કાંઈ ન્યૂનતા નથી,-સ્વઅપેક્ષાએ તો પૂર્ણતા જ છે, પણ નિવૃત્તિના અભાવને લઈ પરઅપેક્ષાએ કિંચિત ન્યૂનતા છે. કારણકે પરના કલ્યાણ માટે તે નિવૃત્તિ જોઈએ, તે આ બાહ્ય ઉપાધિરૂપ પ્રવૃત્તિ હોય ત્યાં સુધી કેમ બની શકે? એટલે જ તે પત્રમાં (સં. ૧૭૦) કહ્યું– નિવૃત્તિ હોય તે બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય, ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવું જોઈએ.' આને તાત્પર્ય અર્થ એ થયો કે શ્રીમદને અંતમાં તે પૂર્ણ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત છે, પણ બાહ્ય નિવૃત્તિ નથીઉપાધિ છે એટલે તે પરકલ્યાણને માટે બાધક અંતરાયરૂપ થઈ પડેલ છે. શ્રીમદની પિતાની આત્મસાધનામાં કંઈ કસર નથી, પણ બીજાને ઉપકારક અસર થઈ પડે એટલા માટે આ બાઢા ઉપાધિની કસર દૂર કરવી જ જોઈએ. તે દૂર કરી પતે ત્યાગ કર જોઈએ અને ત્યાર પછી બીજા પાસે ત્યાગ કરવો જોઈએ. આવી પરમ આશ્ચર્યકારી અલૌકિક આત્મસંયમરૂપ આત્મનિયંત્રણું શ્રીમદે પોતે પોતા પર મૂકી છે, એ ખરેખર પરમ અદૂભૂત આશ્ચર્યકારક છે. અત્રે અજબ થવા જેવું તે એ છે કે જે પુરુષ લાખો મનુષ્યને અનુયાયી બનાવી શકાય એવી અસાધારણ મહાન જબરજસ્ત આત્મશક્તિ ધરાવે છે, એ પરમ સમર્થ પુરુષ આવું અદ્દભુત આત્મસંયમન કરે છે? તે તેની