SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ જર અધ્યાત્મ રાજયક સર્વથા જ્યાં છૂટી જાય છે, એવું અગી ગુણસ્થાનક જ્યાં વતે છે, કે જે મહાભાગ્યરૂપ પૂર્ણ સુખદાયક અને સર્વથા અબંધ છે. એક પરમાણુમાત્રનું જ્યાં સ્પર્શવાપણું રહ્યું નથી, એવું પૂર્ણ કલંકરહિત નિષ્કલંક અડોલ–અચલ પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટે છે કે જે આત્મસ્વરૂપ ભાવકર્મ રહિતપણથી શુદ્ધ છે, દ્રવ્યકર્મ રહિતપણાથી નિરંજન છે, સર્વ પ્રદેશે ચૈતન્યમય લેવાથી ચિતન્યમૂત્તિ છે; પરભાવ વિભાવને સ્પર્શ– લેશ નહિં હોવાથી ચૈતન્ય સિવાય બીજું કાંઈ પણ જ્યાં નથી, એવું અનન્યમય છે; સ્વરૂપ પ્રતિષ્ઠત્વરૂપ અગુરુલઘુગુણથી સંપન્ન હોવાથી, નહિં ન્યૂન કે નહિં અધિક એવું અગુરુલઘુ છે, રસાદિ મૂર્તગુણથી રહિત હોવાથી અમૂર્ત છે. આત્માની સાથે સહજન્મા અપૂર્વ સ્વભાવભૂત હોવાથી સહજ છે, અને સદાસ્થાયિ હોવાથી નિશ્ચલાદરૂપ છે. તે પદની પ્રાપ્તિને અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? આમ ૪, ૬, ૩, ૪, છુ એ ચાર હસ્વ અક્ષર ઉચ્ચારણકાળ પર્યત ચૌદમાં ગુણસ્થાનને સ્પર્શી તે મુક્ત આત્મા ઊર્ધ્વગમન કરે છે તેનું વર્ણન કરે છે– પૂર્વ પ્રાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે–અપૂર્વ, ૧૯ પૂર્વપ્રયાગાદિ કારણના ચોગે કરીને આ સર્વ કર્મથી મુક્ત થયેલે આત્મા ઊધ્વગમન કરી લેકના અગ્રભાગે સિદ્ધાલયે પ્રાપ્ત થઈ ત્યાં સુસ્થિત હોય છે અને ત્યાં સાદિ અનન્ત (જેની આદિ છે પણ અંત નથી એવા) અનન્ત સમાધિસુખમાં તે અનન્ત દર્શન અને અનન્ત જ્ઞાનસહિત આત્મા નિમગ્ન રહે છે. નેધ-પૂર્વપ્રયોગ-જેમ ચકને હાથ ફેરવ્યાથી તે ચાલે છે અને તે હાથ મૂકી દીધા પછી પણ તે ચક થોડો વખત પૂર્વ પ્રયોગના કારણે ચાલ્યા કરે છે, એ આદિ દષ્ટાંતથી સિદ્ધની ઊર્ધ્વગતિ સિદ્ધ થાય છે.) તે અનન્ત સુખમય સિદ્ધપદ વાણીને અગોચર છે તે વર્ણવે છે– જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન –અપૂર્વ ૨૦ જે પદને શ્રી સર્વજ્ઞ ભગવાને જ્ઞાનમાં સાક્ષાત્ દીઠું છતાં તે કેવળજ્ઞાનશ્રી – સંપન્ન શ્રીમદ્દ ભગવાન પણ કહી શક્યા નહિ, તેહ સ્વરૂપ પદને અન્ય વાણી તે શું કહી શકે? તે પદનું જ્ઞાન માત્ર અનુભવગોચર રહ્યું છે,–એવું તે અવાચ્ય છે. તે પદની પ્રાપ્તિને એ અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? હવે ઉપસંહાર કરતાં દિવ્ય દષ્ટા કવીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજી તે પરમપદની પ્રાપ્તિને પોતાને મરથ વ્યક્ત કરતાં અપૂર્વ ભાવાવેશથી લલકારે છે–
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy