________________
અપૂર્વ અવસર એ ક્યારે આવશે?”
૪૩૯ આવા દ્રવ્ય ભાવ નિગ્રંથને સર્વત્ર કે અદ્ભુત સમભાવ વતે છે તેનું સંકીર્નાન કરે છે–
શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન અમાને વતે તે જ સ્વભાવ જે; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા,
ભવ મોક્ષે પણ શુદ્વ વર્તે સમભાવ જે–અપૂર્વ૦૧૦ શત્રુ મિત્ર પ્રત્યે જ્યાં સમદર્શિપણું વતે છે, માન અપમાનમાં પણ શુદ્ધ સમભાવ વતે છે, છવિતમાં કે મરણમાં ન્યૂનાધિકતા વર્તતી નથી, ને સંસારમાં કે મેક્ષમાં પણ શુદ્ધ સમભાવ વતે છે, એ આત્મસમાધિમય નિર્ગથદશાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે ? આવા સર્વત્ર સમભાવી અવધૂતને કેવું અદ્દભુત નિર્ભયપણું વર્તે છે તે બતાવે છે –
એકાકી વિચરતે વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડેલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા,
પરમ મિત્રને જાણે પામ્યા છે. જે–અપૂર્વ ૧૧ એકાકી સ્મશાનમાં વિચરતો હોય કે પર્વતમાં વિચરતે હોય—કે જ્યાં વ્યાઘ, સિંહ, આદિને સંગ-ભેટે થઈ જાય તો પણ આસનનું અડોલપણું રહે અને મનમાં ભયજન્ય ક્ષોભપણું ન ઉપજે, અને આ તે જાણે કે પરમ મિત્રને વેગ મળે છે એમ માને–આવી પરમ નિર્ભય દશા જ્યાં વતે છે એ નિર્ગથપણાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે?
આવા આત્મારામ તપસ્વી નિગ્રંથને પુગલના પરમાણુમાત્ર પ્રત્યે પણ રાગ નથી તે દર્શાવે છે –
ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહી, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જે–અપૂર્વ૦૧૨ ઘોર તપશ્ચર્યા કરે તે પણ મનને તાપ ઉપજે નહિં, અને સરસ અન મળે પણ જ્યાં મનને પ્રસન્નભાવ ઉપજે નહિં, તેમજ રજકણ (પરમાણુ) હોય કે વૈજ્ઞાનિક દેવની ઋદ્ધિ હોય, પણ તે સર્વેય એક પૂરણુ–ગલનસ્વભાવી એક પુદ્ગલસ્વભાવરૂપ જ્યાં માન્યાં છે એવો નિગ્રંથ દશાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે?
એમ ચારિત્રમેહને પરાજય કરી આત્મસંયમના સંચય વડે આત્મસામર્થ્યના ઉકેકને પામેલે આ મુમુક્ષુ મહાત્મા ભાવે છે:
એમ પરાજય કરીને ચારિત્રમેહનો. આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે;