________________
૪૩૮
અધ્યાત્મ રાજચંદ્ર આમ વિષયને પરિહાર કરી તમૂલક કષાયોનું ઉન્મેલન કેવી રીતે કરે છે તે દર્શાવે છે–
ક્રોધ પ્રત્યે તે વાતે કાધસ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લભ પ્રત્યે નહીં, લેભ સમાન અપૂર્વ૦૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કાધ નહીં, વંદે ચકી તથાપિ ન મળે માન છે; દેહ જાય પણ માયા થાય ન રેમમાં,
લેભ નહીં છ પ્રબળ સિદ્ધિ નિદાન –અપૂર્વ ૦૮ ક્રોધ પ્રત્યે તે ક્રોધસ્વભાવપણું વર્તે, અર્થાત ક્રોધ પ્રત્યે જ ક્રોધ કરી તેને જ્યાં ભસ્મસાત્ કરવાપણું વતે ! માન પ્રત્યે તે દીનપણાનું માન વતે! અર્થાત્ હું કે દીન નમ્રાતિનમ્ર છું તેનું માન કદાચ તે તે વર્તે, માયા (કપટ) પ્રત્યે તે સાક્ષિભાવની માયા વતે, અર્થાત્ અન્તરમાં કેવળ સાક્ષીભાવ દષ્ટાભાવ રાખી યોગમાયા કરી જુએ, પણ જગલીલામાં લેપાય નહિ, અને લેભ પ્રત્યે લોભ સમાન થાય નહિ, અર્થાત્ લભને લોભ કરે નહિ, સર્વથા નિર્લોભી જ હોય. (આ ક્રોધાદિ કષાયને જય કે ઉત્કૃષ્ટ હેય તેના ઉદાહરણ આપે છે–) ઘણું ઘણું ઉપસર્ગ–વિડંબના–હેરાનગતી કરનાર પ્રત્યે પણ લેશમાત્ર ક્રોધ ઉપજે નહિ; ચક્રવર્તી આવીને વંદન કરે તો પણ મનમાં માનને અંકુરો ગો જડે નહિ; દેહ છૂટી જાય, તે પણ એક રેમમાં પણ માયા (કપટભાવ) થાય નહિ; અને ભલે પ્રબળ ઉત્કૃષ્ટ પ્રકારના ઋદ્ધિ-સિદ્ધિના નિદાન–કારણ પ્રકટે તે પણ પરમાણુમાત્ર લાભ ઉપજે નહિ,– આવી નિષ્કષાય વીતરાગ નિગ્રંથદશાને અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે?
આવા વિષયકષાયથી રહિત ભાવનિગ્રંથ અવધૂત કેવું બાહ્ય નિગ્રંથપણું દાખવે
નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે શંગાર નહીં,
દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ – અપૂર્વ ૦૯ નગ્નભાવ, મુંડભાવ, અસ્નાનપણું અદંતધાવન આદિ જે પરમ પ્રસિદ્ધ છે તે આ અવધૂતને વર્તે છે, અને કેશની, રેમની, નખની ટાપટીપ કે અંગે શુંગારાદિ આ નિરથને હોતા નથી; એમ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ નિગ્રંથદશા જ્યાં વતે છે એવો અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે?
(જુઓ પ્રજ્ઞાવધ મોક્ષમાળા (ડે. ભગવાનદાસકૃત) પૃ. ૯ નિગ્રંથને પાઠ નં. ૪. આમ સન્માર્ગની દીક્ષા પામેલા ઈત્યાદિ)