________________
અપૂર્વ અવસર એ કયારે આવશે?”
૪૩૭ બને તેમ સંક્ષેપ થાય એમ કરવું જોઈએ, કે જેથી કરીને ઉપયોગમય આત્મા પોતાના જ્ઞાનદર્શનમય આત્મસ્વભાવમાં જ સ્થિતિ કરે. આવા મન-વચન-કાયાના સંક્ષે૫૫ણુને ગુપ્તપણાને–સંરક્ષિતપણાને જૈન પરિભાષામાં “ગુપ્તિ' એવું યથાર્થ નામ આપેલ છે. આનું વિશેષ સ્વરૂપ સમજવા જુઓ પ્રજ્ઞાબેધ મેક્ષમાળામાં (ડે. ભગવાનદાસકૃત) સમિતિગુપ્તિને પાઠ નં. ૪૧]
આગલી ગાથામાં ગુસિ–મન-વચન-કાયાના રોગની સંક્ષિપ્તતા કહી. હવે સંક્ષિપ્ત ગની પ્રવૃત્તિ પણ કરવી પડે તે કેવા પ્રકારે કરવી તેની વિધિ પ્રદર્શિત કરે છે–
સંયમના હેતુથી ગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં,
અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે–અપૂર્વ૦૫ મનવચન-કાયાના ચેગની જે કાંઈ પ્રવર્તન કરવી પડે તે સંયમના હેતુએ જ કરે, અર્થાત્ તે પ્રવૃત્તિ પણ એવી સમ્યક્ કરે કે જેથી આત્માનું નિજ સ્વરૂપને વિષે સંયમન જ થાય. આત્મા નિજ સ્વરૂપમાં જ રોકાઈ રહે, નિરુદ્ધ થાય અને આ જે પ્રવૃત્તિ કરે તે પણ નિજ આત્મસિદ્ધિના લક્ષપૂર્વક ને શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા જિન–વીતરાગની આજ્ઞાને આધીનપણે રહીને જ કરે; અને આવા પ્રકારે જે મન-વચન -કાયાના રોગની સંક્ષિપ્ત પ્રવૃત્તિ થાય તે પણ ક્ષણે ક્ષણે ઘટતી જતી સ્થિતિમાં જ હોય, પ્રતિક્ષણે ઓછી ઓછી થતી જાય ને અંતે-છેવટે તે તે પણ નિજસ્વરૂપને વિષે જ લીનતાને પામે; અર્થાત્ એમ સમ્યક્ પ્રવૃત્તિ કરતાં છેવટે આત્મા સ્વરૂપને વિષે સમાઈ જવારૂપ આત્મસમાધિને પામે.
[ોંધ - આ મન-વચન-કાયાની સમ્યફપ્રવૃત્તિને જૈન પરિભાષામાં “સમિતિ એવું યથાર્થ નામ આપ્યું છે. આ સમિતિ-ગુપ્તિ એ સર્વ ચારિત્રની જનનીરૂપ-મૂલ આધારસ્થંભરૂપ હેઈ તે અષ્ટપ્રવચનમાતા તરિકે પ્રસિદ્ધ છે.]
આમ આત્મસંયમના મૂળ આધારભૂત સમિતિ-ગુપ્તિનું જે સેવન કરે છે તે સંયમને પ્રતિકૂળ એવા વિષય-કષાયાદિનું આચરણ પણ પરિહરે છે તે દર્શાવે છે–
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષોભ જે; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબ ધ વણ,
વિચરવું ઉદયાધીને પણ વીતલોભ જે–અપૂર્વ૦૬ ઈષ્ટ–અનિષ્ટ પંચ ઇન્દ્રિયવિષયમાં જ્યાં સર્વથા રાગ-દ્વેષ વિરહિતપણું વસે છે, વિષય કષાય-મદ-વિકથા-નિદ્રા એ પંચ પ્રકારના પ્રમાદથી જ્યાં મનને ક્ષોભ ઉપજતો નથી, દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી અને ભાવથી ક્યાંય પણ પ્રતિબંધ વિના જ્યાં ઉદયાધીનપણે-પૂર્વ પ્રારબ્ધના એગ પ્રમાણે વીતલભપ–લેશ પણ આસક્તિરહિતપણે વિચારવાનું રહ્યું છે. એવી અપૂર્વ નિથ દશાની પ્રાપ્તિને અપૂર્વ અવસર અમને કયારે આવશે?