________________
અપૂર્વ અવસર એવો કયારે આવશે?” આમ પ્રવર્ધમાન પરિણામથી સર્વસંગનિવૃત્તિની નિરંતર ગવેષણ કરી રહેલા શ્રીમદની આ સર્વસંગપરિત્યાગની તમન્ના કેવી અનન્ય છે, તે આ તેમની હાથધના (અં. ૧-૪૪, ૪૫) પિતાના આત્માને ઉદ્દેશીને લખેલા અમર વચને જ પોકારે છે–
“હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલે બળવાન પ્રારબ્ધદય દેખાતો હોય, તેપણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! જે કે શ્રી સર્વ એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એ જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, પણ તું તે ઉદયને આશ્રયરૂપ હેવાથી નિજ દેષ જાણે તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! (૧-૪). હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાને વિશેષ અવકાશ જોવામાં ન (?) આવે તે અંશસંગનિવૃત્તિરૂપ એવે આ વ્યવસાય તેને ત્યાગ ! જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એ તું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેડીશ તે સંપૂર્ણ જગત પ્રસંગમાં વહેં તેપણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વ કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે.” (૧-૪૫) આમ જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહિં એવી જ્ઞાનદશાની સિદ્ધિ પરમ ભાવસાધુ સાધુચરિત શ્રીમદ્દ થઈ ચૂકી છે,–કષાયાદિ વિભાવને ત્યાગ અને જ્ઞાનાદિ સ્વભાવનું ગ્રહણ કરી લીધું હોવાથી વાસ્તવિક રીતે જ્યાં લેવા-મૂકવાનું કંઈ રહ્યું નથી ત્યાગાત્યાગ સંભવ નથી એવી કૃતકૃત્ય જ્ઞાનદશાની પ્રાપ્તિ પરમ ભાવનિગ્રંથ શ્રીમદને થઈ ચૂકી છે, “શું મુંડે શું લાગે છે” એવી પરમ ધન્ય ભાવમુનિદશા પ્રગટી ચૂકી છે, છતાં આ પરમ ભાવિતાત્મા શ્રીમદ્દ આત્મસાધનાની પૂર્ણતાર્થે અને જગના કલ્યાણાર્થે સર્વસંગપરિત્યાગની તીવ્ર તમન્ના ધરી રહ્યા છે. અને સર્વ સંગપરિત્યાગની આવી તીવ્ર તમન્ના ધરાવે છે એટલે જ શ્રીમદ્ વારંવાર અષભાદિ–વર્ધમાનાદિ મહતુ પુરુષના મહાન ત્યાગનું અનુસ્મરણ કરી પરમભક્તિઉલ્લાસથી નમસ્કાર કરે છે, અને તે પરથી તે મહત્ પુરુષોના મહત્ નિર્ગથપથે વિચરવાની પિતાની મહદ્ ઈચ્છા વ્યક્ત કરે છે
મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તે ગ્રહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર ઋષભાદિ પુરુષે પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટ પણે ઉપદેશ્ય છે. (અં. ૬૬૪)
મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્ર, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મનાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિને હેત છે, એવા સંસારને છેડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપામ્યું છે, અને સર્વ જીવેને તે ઉપાય ઉપદેશ્ય છે. (અં. ૬૬૭)
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. અને તે સંગને વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડ માર્ગ કહ્યો છે. તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. (અં. ૫૮૮). ખ-૫૫