SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ અધ્યાત્મ રાજચંદ્ર ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સપુરુષને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. ૪ ૪ સૂફમસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષ તરી ગયા છે, તેમને પરમ ભક્તિથી નમસ્કાર હે ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. (અં. ૬૬) ૪ ૪ ૪ અહે! જ્ઞાની પુરુષની આશગંભીરતા, ધીરજ અને ઉપશમ! અહો! અહો! વારંવાર અહે” (અં. ૬૯૭) અપૂર્વ અવસર એ કયારે આવશે?”—એ અપૂર્વ અવસરનું દિવ્યગાન આવા આ મહતુ પુરુષના મહત્વ નિગ્રંથપંથે વિચરવાની તીવ્ર તમન્નાના પરમ ભાલાસમાં ને ભાવોલ્લાસમાં જ શ્રીમદે “અપૂર્વ અવસર એવો કયારે આવશે?” એ અમર પંક્તિથી શરૂ થતું અપૂર્વ આત્મભાવલાસમય કાવ્યનું દિવ્ય ગાન ગાઈ પિતાને પરમપદપ્રાપ્તિને મનોરથ પ્રવ્યક્ત કર્યો છે. અપૂર્વ અવસર એ ક્યારે આવશે?—એ અપૂર્વ ભાવવાહી પંક્તિથી પ્રારંભાતું આ અપૂર્વ કાવ્ય દિવ્ય દ્રષ્ટા કવીશ્વર શ્રીમદના આત્માનુભવદુગારરૂપ હોઈ મુખ્યપણે સ્વલક્ષી છે, છતાં અન્ય કોઈ પણ સાચો મુમુક્ષુ આ જ સામાન્ય ગુણસ્થાન કમે મોક્ષમાર્ગે આગળ વધી શકે એમ છે, એટલે, ગૌણપણે આ કાવ્ય પરલક્ષી પણ કહી શકાય એમ છે. આ કાવ્યનું હાદ સમજવા માટે શ્રીમદ્દના અધ્યાત્મજીવનરૂપ પશ્ચાદ્ભૂમિકાને (Back-gruond) કંઈક પરિચય હોવો આવશ્યક છે, અને તે પૂર્વ પ્રકરણમાં અપાઈ ચૂક્યો છે, એટલે સુજ્ઞા વાંચક આ કાવ્યના ભાવને યથાયોગ્ય પરિક્ષેત્રમાં (Proper perspective) ઝીલી શકશે. સાક્ષાત્ આત્મજ્ઞાનને પામેલા મહાત્મા શ્રીમદ્ વીતરાગતાની–આત્યંતર નિગ્રંથદશાની. અતિ અતિ ઉચ્ચ કક્ષાને પામી ચૂક્યા હતા, છતાં પ્રારબ્ધઉદયાધીનપણે તેમને બાહ્ય નિ થતાની પ્રાપ્તિમાં હજુ કંઈક અંતરાય હતે. પણ અંતરાત્માથી તે તેઓ બહા ત્યંતર નિર્ગથતાની પરિપૂર્ણતાને ઝંખી રહ્યા હતા, એટલે તે નિગ્રંથ વીતરાગ શ્રેણીએ પોતે કેવા ઉત્ક્રમે ચઢયા છે વા ચઢવા માગે છે, તેનું સિંહાવલોકનન્યાયે અવલોકન કરી તેઓએ અત્રે છેવટે પરમ પદને મને રથ હૃદયમાં ધારણ કરી અપૂર્વ ભાવાવેશના ઉલ્લાસમાં આ દિવ્ય સંગીત લલકાર્યું છે–આટલી પશ્ચાદ્ભૂમિકા લક્ષગત રાખી હવે આ કાવ્યને સંક્ષેપ વિચાર કરીએ. આત્મજ્ઞાન અથવા સમ્યગદર્શન કાંઈ એમ ને એમ પ્રાપ્ત થઈ જતું નથી, પણ અપૂર્વકરણથી–અપૂર્વ ભાલ્લાસપૂર્વક આત્મપુરુષાર્થથી તે પ્રાપ્ત કરવાનું હોય છે. ઉત્કૃષ્ટ વિરાગ્ય ને તીવ્ર મુમુક્ષુપણારૂપ આવા પરમ ભાલાસથી જેને સાક્ષાત આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, દેહ આત્માના ભેદનું ભાન ઉપજયું છે, એ આ દિવ્ય આત્મા તે દેહાદિ પરભાવના સંસર્ગથી છૂટવાને અહોનિશ ઝંખે છે અને એટલા માટે જ તે બાહ્યાભ્ય તર નિથ થવાની ભાવના ભાવે છે. આવો પ્રશમરસનિમમ તીવ્ર
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy