SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ અધ્યાત્મ રાજચંદ્ર હોઈ અન્ય જીવોના કલ્યાણાર્થે પણ શ્રીમદ્ બાહ્ય ત્યાગને કે જાપ જપતા હતા, તે જ અત્ર પત્રના અંતે દર્શાવે છે– નિત્ય છૂટવાને વિચાર કરીએ છીએ. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને તે જા૫ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાને અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્યા કરે છે.”— પૂર્ણ નિખાલસ શ્રીમદની કેવી ત્યાગની તમન્ના ! આમ અંતરત્યાગને પૂર્ણ પ્રાપ્ત છતાં બાહ્ય ત્યાગને પણ નિરંતર ગવેષતા પરમ ભાવનિગ્રંથ શ્રીમદ્દ ભાવથી તે સર્વત્ર અપ્રતિબદ્ધ જ હતા,-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્યારેય પણ ક્યાંય પણ ભાવ પ્રતિબંધ પામતા જ ન હતા; “સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી” (અં. ૬૧૦–એ અનુભવસિદ્ધ વચનને સર્વ પ્રતિબંધથી મુક્ત થયેલા શ્રીમદ્ ચરિતાર્થ કરતા જ હતા; “જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાનમાર્ગ કહ્યો છે અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિષે લક્ષ રાખી પ્રવૃત્તિ છે” (અં. ૫૧૭) –એમ શ્રીમદ્ તે પ્રધાનમાર્ગને અનુસરતા જ હતા; “દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું આત્મતાએ વર્તતા નિર્મથને કહ્યું છે” (અં ૭૩૯) એવું ચતુર્વિધ અપ્રતિબંધપણું આત્મતાએ વત્તતા ભાવનિગ્રંથ શ્રીમદ્ આચરતા જ હતા; “હે મુનિઓ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચારવાને સતત ઉપયોગ સિદ્ધ કરવા ચોગ્ય છે. જેમણે જગતસુખપૃહા છેડી જ્ઞાનીના માર્ગને આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે” (અં. ૭૮૬)એ અનુભવની છાપવાળા વચનમાં જણાવ્યા પ્રમાણે સર્વત્ર અપ્રતિબદ્ધ અસંગ ઉપયોગ ભાવથી મહા ભાવમુનિ મહાનિર્ગથેશ્વર શ્રીમદ્દ અનુભવસિદ્ધપણે અનુભવતા જ હતા; અને એટલે જ “સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા’ (અં. ૮૩૩) તે પરમ પુરુપોની પંક્તિમાં શ્રીમદ્ બિરાજતા જ હતા. આવા ભાવથી અપ્રતિબદ્ધ ભાવનિગ્રંથ શ્રીમદ્દ ભાવથી વિરતિ પામ્યા જ હતા, વિગતારતિરૂપ ભાવવિરતિ થયા જ હતા, અને એના સહજ ફલરૂપ ભાવથી વિરમવારૂપ ભાવવિરતિ પણ થયા જ હતા, અર્થાત્ આમ બને અર્થમાં જ્ઞાનનું ફલ વિરતિ પામી સંપૂર્ણ ભાવવિરતિ તે થઈ જ ચૂક્યા હતા. વાસ્તવિક રીતે આ ભાવવિરતિ જ શાસ્ત્રકારોએ મુખ્ય–પ્રધાન ગણી છે. શ્રીમદે અંબાલાલભાઈ પરના પત્રમાં (પત્રાંક ૭૪૯ માં) કહ્યું છે તેમ-“જ્ઞાનનું ફળ વિરતિ છે. વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થે, વિભાવને ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોને અને વિભાવનાં ફળને ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું, અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનને પરમાર્થ છે.' ત્યાગાદાન-ગ્રહણત્યાગરૂપ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy