SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ૨૯ અવલંબન લઈએઠું લઈ અમારે ત્યાગ કરવાની શી જરૂર છે એમ ત્યાગ ટાળવાની બુદ્ધિ એમને કદી પણ ઉત્પન્ન થતી નથી, ઉલટું તે જનકાદિના દાખલા પ્રત્યે દેખવા કરતાં શ્રીમદ્દની દષ્ટિ તે આજન્મત્યાગી જિન ભગવાનના દાખલા પ્રત્યે જ છે. એટલે જ પરમ માર્દવમૂર્તિ શ્રીમદ પિતાના આત્માને પ્રેરે છે–સચેત કરે છે કે–જેને ત્યાગ કરવાની જરૂર જ ન હતી એવા શ્રી જિન જેવા જન્મત્યાગી પણ ત્યાગ કરીને ચાલી નિકળ્યા એવા આ “ભયના હેતુરૂપ ઉપાધિગની નિવૃત્તિ કરવામાં પોતે કાળક્ષેપ કરશે તો અશ્રેય થશે એવો ભય રાખવા યોગ્ય છે. અત્રે પોતાને પામર કહી આ પરમ પુરુષે પિતાના આત્માને જન્મત્યાગી જિન ભગવાનને દાખલે લઈ પોતાના આત્માને તેમ કરવા પ્રેરણા કરી છે. શ્રીમદ્દ સંસારમાં રહી વિદેહી રહેલા જનકવિદેહીને દાખલો લેવા નથી માગતા, પણ સંસારને ત્યાગ કરનારા જન્મત્યાગી જિન ભગવાનને દાખલો લેવા માગે છે ને તેને ખરેખરા અંતઃકરણથી પૂરેપૂરા અનુસરવા જ માગે છે. તેમ જ–પોતે પ્રાયઃ જીવન્મુક્તદશા જરૂર અનુભવી જ રહ્યા છે, અને અપૂર્વ વીતરાગતા આચરી જ રહ્યા છે, છતાં જીવન્મુક્તપણાની પૂર્ણતામાં કંઈ પણ ઊથતા નહિં રહેવા દેવા ઈચ્છતા અને રાગ-દ્વેષની સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુમાત્ર કણિકાને પણ આત્મામાંથી સર્વથા વિસર્જન કરવા ઈચ્છતા શ્રીમદ્દ પિતાના આત્માને એર પ્રેરણા કરે છે–“જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્તદશાની જીવ આસાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે.” એટલે જ સુમમાં સૂક્રમ પરમાણુમાત્ર ન્યૂનતા દોષ પણ ન ચલાવી લેવાય એમ કડકમાં કડક રીતે પોતાના આત્માનું આંતરનિરીક્ષણ ને અંતરપરીક્ષણ કરતા પરમ ત્રાજુમૂર્તિ શ્રીમદ પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે“અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે.” આમ પોતાના અંતરુવિચારરૂપ હદય પોતાના પરમાર્થ સુદૃને દર્શાવી, અત્રે (નં. ૫૬૯) ત્યાગની સ્પષ્ટ વ્યાખ્યા કરતાં શ્રીમદ અંતરત્યાગ અર્થે બાહ્ય ત્યાગની કંઈ પણ ઉપકારિતા સ્વીકારી અંતરત્યાગનું પ્રાધાન્ય પ્રકાશે છે-“આત્મપરિણુમથી જેટલે અન્ય પદાર્થને તાદાભ્યઅધ્યાસ નિવત તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદામ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાંગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્યંગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી ચોગ્ય છે. અર્થાત્ બાહ્યત્યાગની ખાતર અંતરત્યાગ નહિં, પણ અંતરત્યાગની ખાતર બાહ્ય ત્યાગ કર્તગ્ય છે. અને શ્રીમાને તે તાદાભ્યઅધ્યાસ નિવતાવારૂપ અંતરત્યાગ પુરેપુર થઈ ચૂક્યો છે અને પિતાની અંતરુસાધના પણ પ્રાયઃ પૂર્ણ થઈ ચૂકી છે, છતાં ગૃહાવાસ ઉદય હોય ત્યાંસુધી પરમાર્થ માર્ગ પ્રકાશ ન કરવાની પિતાની દઢ પ્રતિજ્ઞા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy