SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અધ્યાત્મ રાજદ્ર સરસ ચરિત્ર સંકીત્ત ન કરીએ કે ન કરીએ, યતિઓ શતાબ્દિ કે અર્ધશતાબ્દિ ઉજવીએ કે ન ઉજવીએ, પણ તે તે પોતાની અમર સુકૃતિએથી સદા જયવંત ને જીવંત જ છે. શ્રી ભતૃ હિરએ સાચું જ કહ્યું છે કે—સુકૃતી એવા તે રસસિદ્ધ કવીધરા જયવંત છે, કે જેમની યશઃકાયમાં જરામરણુજન્ય ભય નથી. ‘ નયન્તિ તે સુતિનો રલિધા વીશ્વાઃ । નાસ્તિ ચેષાં વાચે, નામળનું મરું ॥ ? ભતૃહરિની આ ઉક્તિ શ્રીમન્ના સંબંધમાં અક્ષરશઃ ચિરતા થતી દેખાય છે. પેાતાની એકએકથી ઉત્તમ કાવ્યમય સુસ્કૃતિથી જયવંત એવા આ શ્રીમદ્ કવીશ્વર પોતાની યશઃકાયથી સદા જીવ'ત જ છે. શ્રીમદ્ રાજચંદ્રની કીત્તિ-કૌમુદી વિસ્તારતી એમની એકેક ચિર’જીવ અમૃત. ( Immortal nectarlike) કૃતિ એટલી બધી અમૃતમાધુરીથી ભરી છે કે તેનું આકંઠ પાન કર્યાં છતાં તૃપ્તિ થતી નથી. શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃત શ્રવણુ કરતાં જનના મનમાં વિત` ઊઠે છે કે આ શું પુરુષરૂપધારી સાક્ષાત્ સરસ્વતી' છે? કે આ શું અવિનમાં પધારી ગયેલા વાચસ્પતિ છે? અપ્રતિમ પ્રતિભાથી પૂર્ણ આ રાજચંદ્રે એવી અમૃતમયી જ્ઞાનચંદ્રિકા પ્રસારી છે કે તેમાં સુજન-ચકારો ન્હાઈ આનંદ પામે છે અને સુમન–કુમુદ્દોના પૂર્ણ ઉદ્બાધ જામે છે. અપ્રતિમ પ્રતિભાથી પૂર્ણ આ રાજચંદ્ર, અમૃતમય પ્રસારી જ્ઞાનન્ત્યાના સુછ દે; તહિં સુજન ચકે રા ન્હાઈ આન ંદ પામે, સુમન કુમુદ કેરા પૂર્ણ ઉષાધ જામે. (સ્વરચિત) ખરેખર ! આ પુરુષરત્નને પામી ન્યાય ન્યાયપણું પામ્યા, કાવ્ય કાવ્ય બન્યું, અલંકારને અલંકાર સાંપડયો, રસમાં સરસતા આવી, કરમાયેલી શ્રુતવલ્લરી નવપદ્ધવિત થઈ, ચેાગ કલ્પતરુ ફલભારથી નમ્ર બન્યા, યુક્તિ આગ્રહમુક્ત થઈ, મુક્તિ જીવન્મુક્તપણે પ્રત્યક્ષ થઈ, ભક્તિમાં શક્તિ આવી, શક્તિમાં વ્યક્તિ આવી, ધમમાં પ્રાણ આબ્યા, સંવેગમાં વેગ આવ્યેા, વૈરાગ્યમાં રંગ લાગ્યા, સાધુતાને સિદ્ધિ સાંપડી, શાસનનું શાસન ચાલવા લાગ્યું, કલિકાલનું આસન ડોલવા લાગ્યું, દેશનને સ્વરૂપદર્શન થયું, સ્પ`જ્ઞાનને અનુકૂળ સ્થાન મળ્યું, ચારિત્ર ચરિતા` ખન્યું, વચનને કસાટી માટે શ્રુતચિંતામણિ મળ્યા, અનુભવને મુખ જોવા દપ ણુ મળ્યું, તત્ત્વમીમાંસા માંસલ ખની, દવિવાદો દુખલ થયા, વાડાના બંધન તૂટયાં, અખંડ મેાક્ષમા વિશ્વમાં વ્યાપી રહ્યો, અંધશ્રદ્ધાની આંધી દૂર થઈ, સશ્રદ્ધાની જ્યાત પ્રગટી, ક્રુગુરુની ઉત્થાપના થઈ, સાચા સદ્ગુરુની સંસ્થાપના થઈ, શુષ્કજ્ઞાનીઓની શુષ્કતા સૂકાઈ, ક્રિયાજડાની જડતાની જડ ઉખડી અને ધમ તેના શુદ્ધ વસ્તુધ સ્વરૂપે પ્રસિદ્ધ થયેા. રાવે। મહાપ્રતિભાસ'પન્ન સંસ્કારસ્વામી પરમ પ્રભાવક ચુગાવતાર પુરુષ સેકડા વર્ષોમાં કાઈ વિરલા જ પાકે છે. સહસ્રમુખ પ્રતિભાથી શાલતા શ્રીમદ્ રાજચંદ્રજી સહસ્રરશ્મિ તેજસ્વી સૂર્ય સમા છે. જે વિરલ વિભૂતિરૂપ મહા જ્યેાતિધરા ભારતના તત્ત્વજ્ઞાન-ગગનાંગણમાં ચમકી ગયા છે, તેમાં શ્રીમદ્ રાજચદ્રજીનું સ્થાન સદાને માટે અમર રહેશે. એમની પ્રતિભા કેટલી અસાધારણ હતી અને એમની પ્રખર શ્રુતશક્તિવાળી બુદ્ધિમત્તા કેવી કુશાત્ર હતી, એ તે એમની સ્વસમય-પરસમયની સૂક્ષ્મ વિવેકમય
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy