________________
ભારતને તિધર તીર્ણ પર્યાલચના પરથી સ્વયં જણાઈ આવે છે, અને આપણને કવિ કુલગુરુ સિદ્ધસેન દિવાકરનું ને સમતભદ્રસ્વામીનું સહજ સ્મરણ કરાવે છે. એમની દષ્ટિવિશાલતા ને હૃદયની સરલતા કેટલી બધી અદ્દભુત હતી અને સર્વ દર્શન પ્રત્યેની એમની નિરાગ્રહી માધ્યયવૃત્તિ કેવી અપૂર્વ હતી, તે તે એમની સર્વ દર્શનેની તલસ્પર્શી નિષ્પક્ષપાત મીમાંસા પરથી પ્રતીત થાય છે, અને આપણને ષદર્શનવેત્તા મહર્ષિ હરિભદ્રસૂરિની ને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની યાદી તાજી કરે છે. અધ્યાત્મયોગ વિષયને એમને અનુભવઅભ્યાસ કેટલે બધે ઊંડે હતું અને આત્મજ્ઞાન-ધ્યાનની એમની અનુભૂતિ કેવી વિશિષ્ટ હતી, તે તો એમનાં અનુભવરસનિધાન વચનામૃત પરથી સ્વયં સિદ્ધ થાય છે, અને આપણને મહર્ષિ કુંદકુંદાચાર્યજીનું ને ગિરાજ આનંદઘનજીનું સ્મરણ પમાડે છે. એમની આત્મભાવના કેવી અનન્ય હતી અને એમનું ભાવિતાત્મપણું કેવું અતિશયવંત હતું, તે તે આત્માની મહાગીતારૂપ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી એક આત્મધારા પરથી વ્યંજિત થાય છે, અને આપણને મહર્ષિ અમૃતચન્દ્રાચાર્યજીની અને પૂજ્યપાદસ્વામી આદિની યાદી આપે છે. આમ આ પરમ મહાપ્રભાવક શ્રીમદ્દમાં તે તે મહાસંતના ગુણનું અનુપમ સંગમસ્થાન પ્રાપ્ત થતું હાયની ! એ સહજ ભાસ સહૃદય તરવગષકને થાય છે.
આવા પરમ ઉપકારી જગતકલ્યાણુકર મહત્ પુરુષના ગુણગાનને જે રસાસ્વાદ લે તે જ રસના છે, બાકી તો વિકથારૂપ કુથલી કરનારી વિરસના જ છે! આવા સંતના પવિત્ર ચરિત્રનું શ્રવણ કરે તે જ કર્યું છે, બાકી તો વાયુતરંગને અથડાવાના કાણું છે ! આવા સતપુરુષના સદ્દબોધનું, મનન કરે તે જ મન છે, બાકી તો યત્રતત્ર ભ્રમણ કરનારૂં વાંદરું છે! શ્રી યશોવિજયજીના શબ્દોમાં કહીએ તો ગિઆ ગુણવંતના ગુણ શ્રવણ કરતાં કાનમાં અમૃત ઝરે છે ને કાયા નિર્મલ થાય છે. “સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે....ગિરુઆરે ગુણ તુમ તણા.” મહામુનિ શ્રી દેવચંદ્રજીએ સાચું જ ગાયું છે કે- “ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફલ લીધો રે, દેવચંદ્ર કહે હાર મનનો સકલ મરથ સીધે રે.” માટે ચાલો આપણે પણ આ ગુણનિધાન શ્રીમદ્ સતપુરુષનાં ગુણગાન કરી રસનાને રસમય કરીએ ! સંત-ચરિત્રના શ્રવણથી કર્ણને પાવન કરીએ ! સતપુરુષના સબંધચિંતનથી ચિત્તને સચેત કરીએ ! ગિરુઆ ગુણવંતના ગુણ ગંગાજળમાં નિમજજન કરી કાયાને નિર્માલ કરીએ ! સાધુચરિત પુરુષના આત્મચારિત્રમય સચરિત્રાલેખનથી લેખિનીને ધન્ય કરીએ! અને પ્રેરણાઅમૃતનું પાન કરી જીવનને ઉન્નત બનાવીએ!