SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતને તિર્ધર એટલે મ્યાનથી તલવાર જેમ જૂદી છે, શરીરથી વસ્ત્ર જેમ જૂદું છે, ક્ષીરથી નીર જેમ જૂદું છે, તેમ દેહથી “દેહી’–આત્મા જૂદ છે, એવો સતત અંતર્મુખ જાગૃત ઉપગ (સતત આત્મભાન) જેને વર્તતો હતો એવા શ્રીમદ્દ ખરેખરા પરમ આત્મજ્ઞાની “પરમહંસ હતા. ઉજાગરરૂપ તુર્યાવસ્થાને પામેલો શ્રીમદને આ શુદ્ધાત્માનુભૂતિમય આત્મપગ કેટલે બધે ઉજજાગૃત હત–ઉત્કૃષ્ટ જાગૃતદશાને પામ્યો હતો, એ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી આત્માપયેગી પરમાર્થધારા પરથી સહજપણે સુપ્રતીત થાય છે. આમ જેને દેહાધ્યાસ સર્વથા છૂટી ગયે હતા એવા શ્રીમદે જીવનમાં ખરેખરા પરમાર્થ અર્થમાં અનાસક્ત ભેગની અપૂર્વ સાધના કરી હતી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની સ્થિતપ્રજ્ઞ દશા-જીવનમુક્તદશા જીવનમાં સિદ્ધ કરી હતી, દેહ છતાં દેહાતીત એવી કાર્યોત્સર્ગ દશા જીવનમાં આચરી દેખાડી હતી. શ્રીમદ્ સ્વયં એક પત્રમાં [ અં. ૨૫૫] લખે છે કે–અમે દેહધારી છે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ હૈયે.” શ્રીમની આ દેહ છતાં દેહાતીત એવી કાર્યોત્સર્ગદશારૂપ જીવનમુક્તપણાની સુપ્રતીતિ એમના વચનામૃતમાં ડોકીઉં કરતાં કેઈ પણ સુજ્ઞ વિચક્ષણને થયા વિના રહે એમ નથી. શ્રીમદ્દની દશા જનક વિદેહી સમી હતી. સંસારમાં રહ્યા છતાં તેઓ સંસારથી જળકમળવત્ અલિપ્ત હતા. કેઈએ શ્રીમદ માટે ગાયું છે તેમ–જનક વિદેહીસે રેતે સંસારમેં, જ્ઞાની સમા જમેં શુક સ્વરૂપ આવા એક ભારત અવનિને પાવન કરી ગયેલા અલૌકિક સંતના જીવન સંબંધી જનતા વિશેષ જાણવા ઈચ્છે એ સ્વાભાવિક છે. પણ શ્રીમદ્દ જેવા ખરેખરા પરમાર્થ સત મેરુ સમા મહામહિમાવાન પરમ સમર્થ અધ્યાત્મ ગીને ઓળખવા કે આલેખવા એ મેરુના ઉન્નત શિખરે આહવા કરતાં પણ મહાદુર્ઘટ કાર્ય છે. કારણ કે તથારૂપ અધ્યાત્મગીને ઓળખવા હોય, તથારૂ૫ આત્મચારિત્રીનું આત્મચરિત્ર આલેખવું હોય, તો “ચર્મ ચક્ષુ” કામ નહિ આવે, આધ્યાત્મિક દષ્ટિ જ જોઈશે–કામ આવશે. જગત્ તે પ્રાયે બહિરાત્મદ્રષ્ટિથી જ દેખતું હોઈ ભૂલાવામાં પડયું છે; આનંદઘનજીએ ભાખ્યું છે તેમ “ચરમ નયણુ કરી મારગ જેવો રે ભૂલ્યા સયલ સંસાર.” એટલે એક તે શ્રીમદ્ જેવા પૂરા આધ્યાત્મિક ગીનું સ્વરૂપ સમજાવું જ મુશ્કેલ, તે સમજાવવું શી રીતે ? બીજું જે પુરુષ થતો વાવો નિવને-જ્યાંથી વાચા પાછી વળે છે એવા આત્માનુભૂતિમય પરમ પદને પામ્યા છે, તે પુરુષને વાચાના ક્ષેત્રમાં આણવા કેમ ? એટલે આવા પુરુષનું ચરિત્ર આલેખવાનું સાહસ કરવું તે ધૃષ્ટતા કિંવા દુસાહસ છે. તથાપિ આપી શકાય તે માત્ર સ્થૂલ ઉપરછલો જ ખ્યાલ આપી શકાશે એવા પૂરા ભાન સાથે આ પરમ પુરુષના બાહ્યાભ્યતર જીવનસંબંધી યત્કિંચિત્ લખવાનું દુઃસાહસ કરવા માટે લેખકને તેમના સચરિત્ર પ્રત્યેની ભક્તિ જ પ્રેરે છે, વમવિ મુરાપુર ગામા", એટલે બીચામવીર્યવિવાર્થ–પ્રીતિથી આત્મવીર્ય–આત્મસામર્થ્ય વિચાર્યા વિના યથાશક્તિ-પથાભક્તિ-યથા વ્યક્તિ આ ચરિત્ર આલેખવાની ધૃષ્ટતા કરૂં છું; ધીઠાઈ કરી મારગ સંચરૂં–ચરિત્રાલેખનના વિકટ પથે પગલાં પાડું છું આવા આ અલૌકિક સંતશિરોમણિના આપણે ગુણગાન ગાઈએ કે ન ગાઈએ,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy