SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ આત્મસંયમ અને શુદ્ધ આત્મ ચરિત્ર ભણી દોટ ૪ર૩ diary) પરથી પરમસંયમી શ્રીમદની દ્રવ્યસંચમ-ભાવસંયમમય જીવનચર્યા સ્વયં જણાઈ આવે છે. અને આમ ગૃહવાસ મળે પણ પરમદ્રવ્ય-ભાવસંયમમય મુનિચર્યા જેવી શ્રીમદની આ જીવનચર્યા પ્રત્યે દષ્ટિપાત કરતાં આપણને ગૃહવાસસ્થ મહાવીરની મુનિચર્યાની સહજ સ્મૃતિ થાય છે. શ્રીમદ ખરેખર! જીવનમાં મહાવીરના આદર્શને અનુસર્યા હતા અને અનુસરવા માગતા હતા, તે આ સમિતિગુણિમય–સતત આત્મપગમય શ્રીમદની મહામુનીશ્વર જેવી જીવનચર્યા પરથી સ્વયં જણાય છે. હાથોંધમાં (૧-૩૭) શ્રીમદ્દ લખે છે– શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો-ગ્રહવાસથી નિવૃત્ત થયે પણ સાડા બાર વર્ષ જેવા દઈ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એને હેતુ શે?” તેમજ પત્રાંક (૫૧૬) માં લખે છે – “જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણમી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા, તે વ્યવસાય, બીજા જ કરી ક્યા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા ચોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં વારવાર આવતા આ ઉલ્લેખ સ્પષ્ટ સૂચવે છે કે શ્રીમદ્ પોતાની જીવનચર્યામાં મહાવીરના મહાન આદર્શને અનુસર્યા હતા, અને ગૃહવાસમાં છતાં પિતે તેવા જ અભેગી જેવા, અવ્યવસાયી જેવા, નિસ્પૃહ સહજ સ્વભાવે મુનિ જેવા આત્માકાર પરિણામી હતા છતાં, અગ્નિ જે આ અસાર નીરસ વ્યવસાય ત્યજવાની માળા જપતા બાહ્યથી પણ મુનિચર્યા ગ્રહણ કરવાને તલસતા હતા. આવા વર્ધમાનસ્વામીના ઉત્તમ આદર્શને અનુસરનારા સર્વ અર્થમાં પરમસંયમી શ્રીમદ્રની પરમ અદ્દભુત માત્મચારિત્રદશા સમયે સમયે અનંતગુણવિશિષ્ટ વર્ધમાન થતી જતી હો” એમાં આશ્ચર્ય શું? “જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે. તેમ તેમ દ્રવ્યાનુયે યથાર્થ પરિણમે છે. xxદ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે,”—એમ ધારશીભાઈ પરના પત્રમાં (અં. ૮૯૬) શ્રીમદે આત્માનુભવસિદ્ધપણે સ્વયં લખ્યું છે તેમ, શ્રીમદ્દને આત્મસંયમ સમયે સમયે અનંતગણું વધતું જતો હતે, દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે હતા,– દ્રવ્યને અનુસરનારૂં એમનું ચરણ-ચારિત્ર “વ્યાનુસાર ચર’ થયું હતું, આત્માથી અન્ય સર્વ ભાવ પ્રત્યે એમને વિગતારતિરૂપ વિરતિ હેવાથી એમને આત્મા સર્વ ભાવથી વિરામ પામી પૂર્ણ ભાવવિરતિ થયે જ હતું, એટલે જ શ્રીમદ્ પાનાચ તું તિદ્રવ્યાનુયેગનું વિરતિ ફળ પામ્યા જ હતા; કારણ કે " जह णाम कोवि पुरिसो परदब्बमिणंति जाणिदुं चयदि । ત સવે પરભવે કળા સિનું જળ ! ” સમયસાર ગા. ૩૫ આના અભુત પરમાર્થ માટે જુઓ અમૃતચંદ્રાચાર્યની અદ્દભુત “આત્મખ્યાતિ’ ટીકા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy